કવિ: wcity

ચુંટણી પંચ હવે અનેક મુદાઓ પર ‘હાથ’ બંધાઈ જશે♦ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સમકક્ષનું સ્ટેટસ પાછું ખેંચાશે: સંસદના ખાસ સત્રમાં ખરડો: પંચ પણ ‘બાબુ’ શાહી હેઠળ નવી દિલ્હી: દેશમાં મુખ્ય ચુંટણી કમીશ્નર સહિતના ચુંટણી કમિશ્નરની નિયુક્તી પેનલમાં ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયાની બાદબાકી કર્યા બાદ હવે મોદી સરકારે ચુંટણી કમિશ્નરનું સ્ટેટસ પણ ડાઉનગ્રેડ કરીને તેને કેબીનેટ સેક્રેટરીના સ્તરે પુરી દીધા છે. અગાઉ ચુંટણી કમિશ્નરે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિના સમકક્ષનો હોદો સુવિધા અને પ્રીવિલેજ મળતા હતા. સંસદના ખાસ સત્રમાં કેન્દ્રની મોદી સરકાર આ અંગે એક ખરડો લાવી રહી છે. જયાં મુખ્ય ચુંટણી કમિશ્નર તથા અન્ય બે ચુંટણી કમિશ્નરની નિયુક્તિ માટે જે અગાઉ વડાપ્રધાન-…

Read More

દેશની અદાલતોમાં લાખો કેસોનાં ભરાવા વચ્ચે ફટાફટ નિકાલ માટે અનેકવિધ સુધારા કરવામાં આવ્યા છે. ત્યારે એક મહત્વની બાબત એ છે કે 2023 માં સુપ્રિમ કોર્ટમાં 95.7 ટકા કેસોનો નિકાલ આવી ગયો છે.સુપ્રિમ કોર્ટમાં ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની સર્વોચ્ચ અદાલતે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 82328 કેસોમાં ચુકાદા આવ્યા છે જે ગત વર્ષે આ ગાળામાં 75554 કેસોમાં ચુકાદા આવ્યા હતા.દેશમાં ઓલ ઈન્ડીયા જયુડીશ્યલ ડેટા ટ્રાન્સપરન્સી પોર્ટલ-નેશનલ જયુડીશ્યલ ડેટા ગ્રીડની રચનાના આઠ વર્ષ બાદ હવે સુપ્રિમ કોર્ટને ઓનબોર્ડ પ્લેટફોર્મ મળ્યુ છે. જયુડીશ્યલ ડેટા ગ્રીડની રચના 2015 માં થઈ હતી તેમાં તમામ રાજયોમાં તાલુકાથી માંડીને હાઈકોર્ટમાં પેન્ડીંગ કેસોની વિગતો ઉપલબ્ધ બનાવવામાં આવી હતી…

Read More

વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના કૈલાશબા ઝાલા અને ઉપપ્રમુખ તરીકે દેવુબેન વિંઝવાડીયાની નિમણૂક કોંગ્રેસના ફુટ : દસ સદસ્યોમાંથી બે સદસ્યો ગેરહાજર, જૂથવાદથી પર થઇ તાલુકા પંચાયતમાં ભાજપની પકડ મજબૂત… વાંકાનેર તાલુકા પંચાયતમાં આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદના જંગ માટે ભાજપ તરફથી કૈલાશબા હરિસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે દેવુબેન હનુભાઈ વીંઝવાડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી પ્રમુખ પદ માટે કુલસુમબાનું ઉસ્માનગની પરાસરા જયારે ઉપપ્રમુખ પદ માટે રહીમભાઈ ખોરજીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં ભાજપના બંને ઉમેદવારોનો 13 સામે 8 મતોથી વિજય થયો છે….જેમની આજે ચૂંટણી થતા પ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર કૈલાશબા હરિસિંહ ઝાલાને કુલ 13 મત મળ્યા…

Read More

વાંકાનેરમાં માતાએ ઠપકો આપતા દીકરીએ અંતિમ પગલું ભર્યું વાંકાનેરના પંચાસર રોડે આવેલ નવાપરા વિસ્તારમાં રહેતી યુવતીને તેની માતાએ ઘર કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ નવાપરા રામકૃષ્ણનગરમાં હનુમાનજી મંદિર પાસે રહેતા રીતિશાબેન અજયભાઈ રીબડીયા (૧૮) નામની યુવતીએ પોતે પોતાના ઘરે હતી ત્યારે ગળાફાંસો ખાઈને…

Read More

વાંકાનેરના નવા રાજાવડલામાં જુગાર રમતા બે મહિલા સહિત કુલ ચાર જુગારી પકડાયા વાંકાનેરના નવા રાજાવડલા ગામે રામાપીર મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી જ્યારે સ્થળ ઉપરથી બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૨,૯૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ નવા રાજાવડલામાં રામાપીર મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની વાંકાનેર સિટી પોલીસની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ભરતભાઈ અમૃતભાઈ ચાવડા (૩૫), કિશોરભાઈ…

Read More

ભાજપની પસંદગી પુર્ણ: મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ પદે હંસાબેન પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પ્રવીણભાઈ સોનાગ્રા મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા આવ્યા પછી હવેના અઢી વર્ષ માટે હોદેદારોની પસંદગી કરવામાં આવેલ છે.મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ પદે હંસાબેન પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પ્રવીણભાઈ સોનાગ્રાની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.મોરબી જિલ્લા પંચાયતમાં જુદીજુદી સમિતિઓની આગામી અઢી વર્ષ માટે રચના કરવામાં આવનાર છે.તેમજ વિવિધ સમિતિના ચેરમેન નક્કી કરવામાં આવ્યા છે.જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નવી ટર્મ માટેના હોદ્દેદારોની પસંદગી કરી લેવામાં આવી છે.જેમાં મોરબી જિલ્લા પંચાયતના…

Read More

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ પરાસરાનો વિજય… પ્રમુખ તરીકે કોંગ્રેસના ગુલામભાઈ પરાસરાનો વિજય, ભાજપની મહેનત પર પાણી ફરી વળ્યુ…. વાંકાનેર માર્કેટિંગ યાર્ડની પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી માટે આજે બપોરે બાર વાગ્યાથી મતદાન તથા મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં આ વખતે યાર્ડની ચુંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં અત્યાર સુધીમાં શાસક પીરઝાદા પેનલ અને સામે ભાજપ પેનલ દ્વારા જીત માટે પોતાની તમામ તાકાત લગાવી દેવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદ પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે…. વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આજે યોજાયેલી મતદાન તથા મતગણતરી પ્રક્રિયા બાદ પ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ અમીભાઈ…

Read More

માળીયા(મી.) પોલીસે ગેરકાયદે માર મારવાની કોર્ટ સમક્ષ પોલીસ વિરૂધ્ધ ફરીયાદ માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામના રહેવાસી કર્મરાજસિંહ મંગળસિહ ઝાલા તથા તેજ ગામના રહેવાસી ક્રિપાલસિંહ વિશુભા જાડેજા વચ્ચે તા.૩-૯-૨૩ ના રોજ મોટા દહીંસરા ગામે રાત્રીના સામસામી મારામારીનો બનાવ બનેલ હોય સદર બનાવમાં કર્મરાજસિંહને બનાવમાં ઈજા થતા મોરબી શ્રીહરી હોસ્પીટલ ખાતે સારવારમા દાખલ થયેલ અને બીજા દિવસે એટલે કે તા.૪-૯-૨૩ ના રોજ હોસ્પીટલમાંથી રજા આપતા કર્મરાજસિંહ માળીયા પોલીસ સ્ટેશને સદર બનાવના કામે ફરીયાદ આપવા માટે ગયેલ હતા તે સમયે માળીયા પોલીસે આ બનાવમાં સામસામી ફરીયાદ પોલીસે દાખલ કરી સદર બનાવના કામે ક્રોસ ફરીયાદમાં પોલીસે કર્મરાજસિંહને ગુનાના કામે અટકાયત કરેલ અને ગુનો કબુલ…

Read More

વાંકાનેરમાં અકસ્માત સર્જનાર રિક્ષામાંથી દારૂ મળ્યો !: ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં વાંકાનેર હાઇવે ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી બારદાન ભરેલ છકડો રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાના ચાલકે એક મહિલાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ઇજા પામેલ મહિલાને ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડવામાં આવી હતી દરમ્યાન રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો બાચકું રસ્તા ઉપર નીચે પડતા આ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા વાંકાનેર પોલીસની ટીમ ઘટના સાથે પહોંચી હતી અને ત્યારબાદ સ્થળ ઉપરથી દોઢસો લીટર દેશી દારૂ તથા છકડો રીક્ષા આમ કુલ મળીને ૩૩ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અજાણ્યા શખ્સની સામે પોલીસે ગુનો…

Read More

માનનીય સાંસદ મોહનભાઈ કુંડારિયા અને માનનીય સાંસદ કેસરી દેવસિંહ ઝાલા એ લીલી ઝંડી બતાવીને ઓખા-દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસના વાંકાનેર સ્ટેશનના સ્ટોપેજનું કર્યું શુભારંભ માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા અને સંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા 4 સપ્ટેમ્બર, 2023ના રોજ વાંકાનેર સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં લીલી ઝંડી બતાવી ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજનું શુભારંભ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વનીકુમારે સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, વાંકાનેર વિસ્તારના લોકોની લાંબા સમયથી માંગ હતી કે ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનને વાંકાનેર સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવે, જે આજે પૂર્ણ થઈ…

Read More