વાંકાનેરના લાકડધાર નજીક કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ અંતિમ પગલું ભર્યું તે બનાવમાં ગુનો નોંધાયો વાંકાનેર તાલુકાના લાકડધાર નજીક આવેલા સેન્ટોસા સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને પરિણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવવામાં હાલમાં મૃતકની માતાએ તેના જમાઈ સામે તેને દુઃખ ત્રાસ આપી મરવા મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના રહેવાસી તીલ્લોતમા સુંદર મુર્મુ (૩૭)એ હાલમાં હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ક્રિષ્ના અનંત બાસ્કે રહે. ગોપાલપુર હાથબદ્રા જિલ્લો મયુરભંજ ઓરિસ્સા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર…
કવિ: wcity
વાંકાનેર નજીક યુવાનને બેભાન કરીને રોકડ, દાગીના, મોબાઈલ અને કાર મળીને ૨.૯૮ લાખની ચોરી સુરેન્દ્રનગરમાં આવેલ ઉમિયા ટાઉનશીપની પાછળના ભાગે રણજિતનગરમાં રહેતા યુવાનને વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવવાના રસ્તા ઉપર બે શખ્સો દ્વારા નશીલી વસ્તુ ખવડાવી કે પીવડાવી દેવામાં આવી હતી ત્યારબાદ તેની પાસેથી રોકડા રૂપિયા, સોનાની વીંટી, મોબાઈલ ફોન અને ઇકો ગાડીની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં આવેલ ઉમિયા ટાઉનશીપની પાછળ રણજિતનગરમાં રહેતા નાગરાજભાઈ ચંદ્રકાંતભાઈ મકવાણા જાતે રજપૂત (૩૩)એ…
વાંકાનેર: ધાર્મિક પ્રસંગમાંથી પરત આવતા પરિવારને નડ્યો અકસ્માત: ટ્રક નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત, માતા-દીકરાને ઇજા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતી સેંસો ચોકડી પાસેથી દંપતી અને તેનો દીકરો બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે ખાલી સાઇડમાં ફૂલ સ્પીડમાં પોતાનો વાહન વાળી લીધું હતું અને બાઈકને લીધું હતું જેથી ફરિયાદી મહિલા અને તેના દીકરાને ઇજા થયેલ હતી અને તેના પતિને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માતના આ બનાવમાં મૃતકના પત્નીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ…
વાંકાનેર તાલુકાના કોળી સમાજનાં આગેવાન ઉપર થયેલા આક્ષેપો પરત ખેચી લેતા સમાધાન વાંકાનેર કોળી સમાજનાં પીઢ આગેવાન નવઘણભાઈ મેઘાણી ઉપર થયેલા ખોટા આક્ષેપો પરત ખેંચાયા બાદ કાળાસર જગ્યાનાં કોળી સમાજનાં મહંત વાલજીભગત બાપું દ્વારા અને બહોળી સંખ્યામાં કોળી સમાજનાં આગેવાનો વચ્ચે સમાધાન કરાવેલ છે હાલમાં મળી રહેલ માહિતી મુજબ વાંકાનેર કોળી સમાજનાં પીઢ આગેવાન નવઘણભાઈ મેઘાણી બીમાર હોવા છતાં, અજાણતાં જે ખોટા આક્ષેપો થયાં હતાં તે પરત ખેંચાયા બાદ આ વાત કોળી સમાજનાં મહંત વાલજીભગત બાપુના ધ્યાને આવી હતી જેથી ગઈકાલે વાંકાનેર તાલુકાનાં કોળી સમાજનાં આગેવાનોને કાળાસર ગામે બોલાવવામાં આવ્યા હતા. અને કોળી સમાજનાં મહંત દ્વારા નવઘણભાઈ મેઘાણી, કરશનભાઈ લુંભાણી,…
વાંકાનેર તાલુકાના દેરાળા ગામના સીમ વિસ્તારમાંથીપીજીવીસીએલના કોન્ટ્રાક્ટરના માણસ દ્વારા ટ્રાન્સફોર્મરમાંથી ૧૮૦ લીટર ઓઇલની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ૧૫,૧૦૨ રૂપિયાની કિંમતના ઓઇલની ચોરી કરીને આરોપીએ પોતાની વાડીના રૂમમાં સ્ટોક રાખ્યો હતો માટે હાલમાં વાંકાનેર પીજીવીસીએલની વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટરના માણસ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છેજાણવા મળતી માહિતી મુજબ રાજકોટના નાના મૌવા રોડ ઉપર આવેલ રઘુનાથ પાર્ક-૨ માં રહેતા અને વાંકાનેર પીજીવીસીએલની વિભાગીય કચેરીમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ શરદચંદ્ર ધુલિયા (૫૪)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રભુભાઈ…
વાંકાનેર તાલુકામાં ઢુવા નજીક આવેલ ફ્રિડમ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મહિલાએ કોઈ કારણોસર લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.આ બાબતે તપાસ અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતકને બુટી લેવી હતી અને મજૂરી કામ કર્યા બાદ જે પૈસા એકત્રિત થયા હતા તે પૈસા મૃતક મહિલાના પતિએ પોતાના વતનમાં પોતાના પરિવારને ટ્રેક્ટર લેવા માટે…
ચોટીલા હાઇવે પર ની હોટલમાં સ્ટેટ મોનેટરી સેલ દ્વારા પેટ્રોલ ડીઝલ ચોરીનું કૌભાંડ પકડવામાં આવ્યું ચોટીલા નેશનલ હાઇવે પર ની હોટલમાં સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા પેટ્રોલ ડીઝલનું ચોરીનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. જેમાંજાંબેશ્વર રામદેવ હોટલમાં હોલ્ટ કરતા ટેન્કરોમાંથી પેટ્રોલ, ડીઝલ તેમજ કેમિકલ કાઢી લઇ વેચવામાં આવતુ હતુ. જે અંતર્ગત ૧૦૩૦૦ લીટર પેટ્રોલ, ડીઝલ તેમજ ૨૦ હજાર લીટર કેમિકલ ભરેલ ટેન્કર ઝડપાયુ હતું. તેમજ ૩ વાહનો, પાંચ મોબાઇલ, ઇલેક્ટ્રિક મોટર સહીત કુલ રૂપિયા ૫૧.૮૫ લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સો ઝડપાતા તમામને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પેટ્રોલ ડીઝલ ચોરીના કૌભાંડના મુખ્ય સુત્રધાર સહીત બે…
– બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર આગામી ચારવિસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ લાવશેસાવધાન રહેજે- ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના : ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફરાજ્યમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે અને જેના કારણે સારા વરસાદની આશા બંધાઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે આગામી ચાર દિવસમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, આવનારા ચાર દિવસ રાજ્ય માટે ભારે છે અને જુલાઈમાં જાવા મળ્યો હતો તેવો વરસાદ જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોમાં પાંચ ઈંચથી લઈ ૭ ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. વરસાદના આક્રમક બે રાઉન્ડ હજુ…
શું 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર? ભાજપ સરકારની ચૂંટણી પહેલાં જ જાહેરાત Gas Price: ગેસ સિલિન્ડરની જરૂરિયાત દરેક ઘરમાં જોવા મળે છે. જોકે, સિલિન્ડરની કિંમત ઘણી વધારે છે. હવે ચૂંટણી પહેલા મધ્યપ્રદેશ સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તેનાથી સામાન્ય જનતાને ઘણો ફાયદો થવાનો છે. ચાલો તેના વિશે જાણીએ… LPG Price: દેશમાં લોકસભાની ચૂંટણી અને આગામી થોડા મહિનામાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ અંગે વિવિધ સરકારો દ્વારા ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી રહી છે. દરેક ઘરમાં ગેસ સિલિન્ડરની જરૂર પડે છે. આ દરમિયાન આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશની ભાજપ સરકારે ઉજ્જવલા યોજના અને…
વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે ખેડૂત દ્વારા સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી ખેતીવિષયક દબાણ કરતા બાબતે વાંકાનેર મામલતદાર દ્વારા અનેક સમજુતી બાદ પણ આરોપીએ દબાણ મુક્ત નહીં કરતા આખરે મામલતદારે ફરિયાદી બની આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રેવન્યુ સર્વે નંબર 179 પૈકીની જમીન ઉપર અલગ અલગ ચાર શખ્સો દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી ખેતી કરતા હોય, આ મામલે લેન્ડગ્રેવિંગ એક્ટ મુજબ પગલાં ભરવા ફરિયાદ કરતા મામલતદાર દ્વારા પ્રથમ દબાણ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવતા ત્રણ શખ્સોએ કબ્જા ખાલી કરી આપ્યા હતા, પરંતુ આરોપી જલાલભાઇ નુરમામદભાઇ માથકીયા…