વાંકાનેરના વસુંધરા નજીક ફોરેસ્ટના વનપાલ સહિત બે કર્મચારી ઉપર છરી વડે હુમલો: ત્રણ શખ્સોની સામે ફરિયાદ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામની સીમમાં ફોરેસ્ટના પ્રતિબંધિત વિસ્તારમાંથી બાઈક લઈને પસાર થયેલા શખ્સને રોકીને ચેક કરવાનું કહેતા બાઈક ચાલક વનપાલ તથા તેની સાથે રહેલા વ્યક્તિને ગાળો આપીને ત્યાંથી નીકળી ગયો હતો ત્યારબાદ વનપાલ અને તેની સાથે રહેલા કર્મચારી વાડી ઝડતી લેવા માટે ગયા હતા ત્યારે તેની ફરજમાં રૂકાવટ કરીને તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને માલ ઢોર કેમ પૂરી દીધેલ છે તેવું કહીને ઢિકાપાટુનો માર માર્યો હતો તથા વનપાલ સાથે રહેલા કર્મચારીના યુનિફોર્મનું સોલ્ડર ફાડી નાખવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ…
કવિ: wcity
KGF ફિલ્મમાં જોવા મળતી ક્રુરતા સુરેન્દ્રનગરમાં જોવા મળી છે. જેમાં 4 મજુરોને સાંકળે બાંધી રોજ માર મારી પરાણે ખાણના કુવામાં કામ કરાવતા હતા. જેમાં તાલિબાની જેવું વર્તન ભૂમાફિયાઓ દ્વારા મજૂરો પર કરવામાં આવતું હતું સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ની દાદાગીરી સામે આવી છે. જેમાં ચાર શ્રમિકોને સાંકળથી બાંધી રોજ માર મારતા હતા. શ્રમિકોને ગોંધી રાખી ખાણના કુવામાં કામ કરાવતા હતા. તથા તાલિબાની જેવું વર્તન ખાણોના કોન્ટ્રાકટર દ્વારા કરાતું હતું. જોકે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. KGF ફિલ્મમાં જોવા મળતી ક્રુરતા સુરેન્દ્રનગરમાં જોવા મળી છે. જેમાં 4 મજુરોને સાંકળે બાંધી રોજ માર મારી પરાણે ખાણના કુવામાં કામ…
વાંકાનેરમાં રહેતાં ૨૦ વર્ષના યુવાનને પોતાનાથી બમણી ઉમરની પાંચ સંતાનની માતા સાથે પ્રેમ થઇ જતાં અને બાદમાં માથાકુટ થતાં આ યુવાનને મહિલાએ ફોસલાવીને ગાંધીધામના દુધઇ ગામે ઉર્ષમાંલઇ ગયા બાદ પતિ સાથે મળી મારકુટ કરી તેને પરાણે ફિનાઇલ પીવડાવી દેતાં સારવાર માટે દાખલ કરવો પડયો હતો. બનાવની જાણવા મળેલી માહિતી મુજબ વાંકાનેરમાં સીટી સ્ટેશન પાસે રહેતાં સાહિલ સલિમભાઇ બશર (ઉ.વ.૨૦)ને ગાંધીધામ દુધઇના ધમણકા ગામ ખાતે વાંકાનેરની હુશેનાબેન અને તેના પતિ સહિતે મારકુટ કરી ફિનાઇલ પીવડાવી દેતાં વાંકાનેર સારવાર લઇ રાજકોટ સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ સી. જે. ઝાલા અને તોૈફિકભાઇ જુણાચે દુધઇ પોલીસને જાણ કરી હતી. સાહિલ બે ભાઇ અને…
હૃદયરોગ’ આ શબ્દ અગાઉ સામાન્ય ગણાતો પણ હવે કેન્સર કરતા આ રોગ જીવલેણ બની રહ્યો છે કારણકે કોરોના પહેલા હૃદયરોગથી પીડિત વ્યક્તિઓના મોતનો રેશિયો ઓછો હતો અને મોટાભાગે 60+ વ્યક્તિઓના જ હાર્ટ એટેકના કારણે મોત થતા હતા જોકે કોરોના પછી લોકોના વ્યક્તિગત જીવનમાં વધી રહેલો તણાવ,નાહકની ચિંતા,ઘટી રહેલી રોગપ્રતિકારક શક્તિ સહિતના કારણોસર શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ હાર્ટએટેકનો શિકાર બની રહ્યા છે.હૃદયરોગના હુમલાથી હવે યુવા વર્ગના લોકોના પણ મોત થઇ રહ્યા છે. એક અફવા એવી છે કે, કોરોનાની રસી લીધા બાદ આ અસર થઈ છે પણ સતાવાર વર્તુળો આ વાતને સમર્થન આપતા નથી તેઓએ હ્ર્દયરોગના વધેલા બનાવ પાછળ યુવા વર્ગ દ્વારા…
મોરબીના ચકમપર ગામે થયેલ ડિમોલેશન બાબતે વાંકાનેરમાં ઓબીસી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું… મોરબીના ચકમપર ગામે થયેલ ડિમોલેશન બાબતે ઓબીસી સમાજ/ગ્રુપ દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ચાલું વરસાદમાં થયેલ ડિમોલેશન કાર્યવાહીનો વિરોધ કરી 60 જેટલા પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરવામાં આવી હતી… બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના ચકમપર ગામે ઓ.બી.સી. સમાજના આશરે ૬૦ પરીવારોના સરકારી જમીન પરના મકાન/દબાણોને તંત્ર દ્વારા ચાલુ વરસાદમાં ડિમોલેશન કરી અને પાડી દીધાં હોય, જે અમાનવીય કામગીરીના વિરોધમાં ઓબીસી સમાજ વાંકાનેર દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક આ પીડીતો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે….
વાંકાનેરના ઓળ ગામે ગૌચરમાં થતી ખનીજચોરી રોકવા માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ…. ગ્રામ પંચાયત દ્વારા ખનીજચોરી માટે જમીનની લ્હાણી કરાઈ હોવાનાં ગંભીર આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ગેરકાયદેસર ખનન રોકવા માંગ… વાંકાનેર તાલુકાના ઓળ ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરવામાં આવતી હોય, જે બાબતે આ ખનીજ ચોરી રોકવા ગામના માલધારી સમાજ દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી અને ગામની ગૌચરની જમીનમાં થતી ખનીજ ચોરી રોકવા માંગ કરવામાં આવી છે. આ સાથે જ માલધારી સમાજ દ્વારા ગામનાં સરપંચ, ઉપસરપંચ સહિતની ગ્રામ પંચાયતની બોડી પર ખનીજચોરોને ગૌચરની જમીનની લાણી કરવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ…
વાંકાનેરના ઢુવા પાસે ડેમુ ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત વાંકાનેર તાલુકાના ઢુવા રેલવે ફાટક પાસેથી પસાર થતી ડેમુ ટ્રેનમાં આવી જતા ગંભીર ઈજા થવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડના પચ્છીમ સિંહભુમ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા આવેલ અમૃત પાસે સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મહેશ નારણભાઈ ગાગરાઈ (ઉંમર ૧૮) ઢુવા નજીક આવેલ રેલ્વે ફાટક પાસે ડેમુ…
વાંકાનેર શહેર નજીક હસનપર બ્રીજ પાસે હાઇવે પર બેકાબૂ ટ્રક ચાલકે ચાર વાહનોને અડફેટે લીધા… અકસ્માતના બનાવમાં સદનસીબે જાનહાનિ ટળી, ત્રણ કાર અને એક રિક્ષામાં નુકશાની પહોંચી…. વાંકાનેર શહેર નજીક હાઇવે પર આજરોજ હસનપર બ્રીજ ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં બેકાબૂ બનેલા એક લોડેડ ટ્રકના ચાલકે ત્રણ કાર અને એક રીક્ષાને હડફેટે લીધી હતી, જેમાં સદનસીબે કોઈને ફણ ઇજાઓ પહોંચી નહોતી પરંતુ ચારેય વાહનોમાં નુકસાની પહોંચી હતી….બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક હાઇવે પર આજરોજ હસનપર બ્રીજ ઉતરતા સાઈડમાં ઉભેલા વાહનોને ત્યાંથી પસાર થતા એક લોડેડ ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા હડફેટે લીધા હતા, જેમાં એક સ્કોર્પિયો, ટીઆગો અને…
વાંકાનેરમાં રિક્ષા વાળાને માર મારતા જમદારને સમજાવવા ગયેલા પાલિકાના માજી સભ્યને જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં પોલીસ જમાદાર રિક્ષાવાળા સાથે બોલાચાલી કરીને ગાળો આપી માર મારતો હતી જેથી રિક્ષા વાળાએ વાંકાનેર નગરપાલિકાના માજી સભ્યને ફોન કરતાં તે ત્યાં આવ્યા હતા અને ઝઘડો ન કરવા માટે અને માર ન મારવા માટે સમજાવ્યું હતું ત્યારે પોલીસ જમાદારના સગાએ પાલિકાના માજી સભ્યના ફોન ઉપર ફોન કરીને “હું હમીર ભગતનો છોકરો કુંભારપરામાંથી બોલું છું શું કાંઈ હવા આવી ગઈ છે તમે ગમે એની ઉપર હાલી જાઓ છો” તેવું કહીને ધમકી આપી હતી અને ત્યારબાદ પાલિકાના માજી સભ્ય ટાઉનહોલ પાસે બેઠા હતા ત્યારે આવીને “અમારા…
મોરબીથી વાંકાનેર જતી ડેમુ ટ્રેન રસ્તામાં મકનસર પાસે બંધ: મુસાફરો હેરાન વાંકાનેર મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં રોજે રોજ ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણોસર ધાંધિયા થતા હોય છે જેથી કરીને મુસાફરોને હેરાન થવું પડતું હોય છે આવી જ રીતે વધુ એક વખત મોરબીથી વાંકાનેર તરફ જવા માટે નીકળી ડેમુ ટ્રેન મકનસર નજીક બંધ પડી ગઈ હતી જેથી કરીને મુસાફરોને હેરાન થવું પડ્યું હતું અને મોડી રાત સુધી તે ડેમુ ટ્રેન ચાલુ થઈ ન હતી અને આજે સવારે પણ ડેમુ ટ્રેન તેના સમય મુજબ મોરબીથી વાંકાનેર તરફ જવા માટે રવાના થઈ ન હોવાથી વાંકાનેરથી આગળના રૂટની ટ્રેન પકડવા માટે મુસાફરોને…