વાંકાનેરના કોટડાનાયણી ગામે ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમ્યાન મહિલાનું મોત વાંકાનેરના કોટડાનાયાણી ગામે આવેલ માતાજીના મઢે મહિલાને ઝેરી જીવડું કરડી ગયો હતો જેથી કરીને તે મહિલાને ઝેરી અસર થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં વેલનાથ પરા શેરી નં. ૧૬-૧૮ ના ખૂણે રહેતા પૂજાબેન ગોપાલભાઈ માણસુરીયા (૪૧) વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામે આવેલ માતાના મઢે દર્શન કરવા…
કવિ: wcity
સુરત/ નેશનલ હાઇવે 48 પર રોલર અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત, એક નું ઘટનાસ્થળે મોત રોડ બનાવવાના મશીન સાથે પુરપાટ ઝડપે ટ્રેલર અથડાયું અને રોડ બનાવવાના મશીન ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. સામે ટ્રેલર ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48 પર સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આજરોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. સતત સર્જાતાં અકસ્માતમાં લોકોના જીવ જઈ રહ્યા છે. વારંવાર અકસ્માત બનવાની ઘટના સામે આવી રહી છે. નેશનલ હાઇ વે 48 પર રોડ બનાવાના મશીન સાથે પુરપાટ ઝડપે ટ્રેલર અથડાતાં અકસ્માતનો…
વાંકાનેર તાલુકા પંચાયત ખાતે દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કશ્મીરાબા ઝાલા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર, પૂર્વ પ્રમુખ પતી ધર્મેન્દ્રસિંહ ઝાલા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સદસ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં જીજ્ઞાસાબેન મેરે માહિતી આપતા જણાવ્યું હતું કે “દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) એ ગ્રામીણ વિકાસ મંત્રાલયની મુખ્ય યોજના છે, જેનો હેતુ સ્વ-સહાય જૂથો જેવી સામુદાયિક સંસ્થાઓ દ્વારા ગરીબ મહિલાઓને લાભ આપવાનો છે, જેથી ગ્રામીણ ગરીબીને દૂર કરી શકાય. બીજો ધ્યેય તેમને બેંકોમાંથી આવશ્યક ધિરાણ ઉપલબ્ધ…
વાંકાનેર નજીક કારખાનામાં રહીને મજૂરી કરતાં યુવાનનું લોહીની ઉલ્ટી બાદ મોત વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આવેલ સનહાર્ટ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ઉલટીઓ થવા લાગી હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનને લોહીની ઉલ્ટી થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છેબનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આવેલ સનહાર્ટ સીરામીક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો નથી ત્યાં મજૂરી કામ કરતો…
સ્પાની આડમાં કૂટણખાનું !: મોરબી નજીક ઓરલા સ્પામાંથી કોંડમ સહિતના મુદામાલ સાથે ત્રણની ધરપકડ મોરબીના લખધીરપુર રોડ ઉપર તરફ જવાના રસ્તામાં આવતા સીરામીક પ્લાઝા-૨ માં પહેલા માળ ઉપર આવેલ ઓરલા સ્પામાં દેહવ્યાપારનો ધંધો કરવામાં આવતો હોવાની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ૪૫૦૦ રૂપિયા રોકડા, એક મોબાઇલ ફોન, ૧૦ કોન્ડમ તથા અન્ય મુદ્દામાલ મળીને ૯૫૦૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો અને પોલીસે સ્પાના માલિક, સંચાલક સહિત ત્રણ આરોપીની ધરપકડ કરીને પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે મોરબીના ધારાસભ્ય દ્વારા થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો હતો જેમાં…
વાંકાનેર રેલવે સ્ટેશન પર સોના ચાંદીના ઝવેરાત સાથે ત્રણ લોકોની અટકાયત : જામનગર કસ્ટમની કાર્યવાહી અંદાજિત 8 થી 10 કિલો સોનુ અને 25 કિલો ચાંદીનો મુદામાલ હોવાની આશંકા: મુંબઈથી રાજકોટ આવતા હતા ત્યારે વાંકાનેર રેલવે સ્ટેશને જામનગર કસ્ટમ વિભાગની કાર્યવાહી જામનગર: જામનગર કસ્ટમ વિભાગ દ્વારા સોના-ચાંદીના ઝવેરાત સાથે 3 લોકોની અટકાયત કરાઈ છે,મુંબઈથી રાજકોટ આવી રહેલા ત્રણ લોકોની જામનગર કસ્ટમ વિભાગ દ્વારા અટકાયત કરી પુછપરછ શરૂ કરાઈ છે વાંકાનેર રેલવે સ્ટેશન પરથી ત્રણ વ્યક્તિને અટકાયત કરી જામનગર કસ્ટમે કાર્યવાહી હાથ ધરી છે આ ત્રણ શખ્સો પાસેથી અંદાજિત 8 થી 10 કિલો સોનુ અને 25 કિલોની આસપાસ ચાંદી હોવાની આશંકા છે…
એક-બે નહીં પાંચ હત્યા; હોલસેલ હત્યાના બનાવોએ ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિનાં લીરા ઉડાવ્યાં WCitynewsGujarati સુરત, ભૂજ, જામનગરમાં એક-એક અને વલસાડમાં બે હત્યા સાથે ગુજરાતમાં હોલસેલમાં હત્યાના બનાવો પાછલા 24 કલાકમાં ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે સઘળું કહી જાય છે. ગુજરાતમાં આમ તો હત્યા, લૂંટ, ચોરી, અપહરણ, દુષ્કર્મ જેવી હીન ઘટના રોજરોજ સામે આવવી રુટીન થઇ ગયુ હોય તેવું લાગે છે અને હાલનાં સમયમાં તો ડ્રગ્સ અને દારુએ પણ માજા મુકી હોય તેવું પ્રતિત-બે નહીં પાંચ હત્યા; હોલસેલ હત્યાના બનાવોએ ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિનાં લીરા ઉડાવ્યાંસુરત, ભૂજ, જામનગરમાં એક-એક અને વલસાડમાં બે હત્યા સાથે ગુજરાતમાં હોલસેલમાં હત્યાના બનાવો પાછલા 24…
વાહ રે ગુજરાત ! ક્યાંક નકલી ડેપ્યુટી કલેક્ટર તો ક્યાંક નકલી પોલીસ પકડાઇબસ હવે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ચાર ચાંદ લાગડવા માટે આવી જ એક બે ઘટના બાકી હતી. ઉલ્લેખનીય છે કે, સુરત, ભૂજ, જામનગરમાં એક-એક અને વલસાડમાં બે હત્યા સાથે ગુજરાતમાં હોલસેલમાં હત્યાનાં બનાવો પાછલા 24 કલાકમાં ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે સઘળું કહી જાય છે. અને હાલનાં સમયમાં તો ડ્રગ્સ અને દારુએ પણ માજા મુકી હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. ખરેખર ગુડ ગવર્નન્સ અને વિકાસ કોને કહેવાય તે જોવા માટે લોકોએ એક વખત તો ગુજરાત આવવું જ જોઇએ. જો ગુજરાત મામલે કાયદો અને વ્યવસ્થાની વાત…
ગુજરાતમાં રોગચાળો વકર્યો, એક વિદ્યાર્થી સહિત 2ના મોતવરસાદ બાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાનાં કેસમાં વધારો નોંધાયો છે. વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ ગંદકીનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.સુરતમાં ડેન્ગ્યુથી એક વિધ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. વરસાદ આવે એટલે ડેન્ગ્યુનો કહેર શરૂ થાય, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ સતત વધવા લાગે છે. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ જાય છે. સતત અમદાવાદ, રાજકોટ, સુરત બધે જ ડેન્ગ્યુ એ માઝા મૂકી છે. વરસાદ બાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાનાં કેસમાં વધારો નોંધાયો છે. અને સતત મરનાર વ્યક્તિનો સિલસિલો ચાલુ છે. જેમાં આજે સુરતમાં બેના મોત થયા જેમાં એક ધોરણ 10 માં ભણતી વિધ્યાર્થીની અને એક…
વંદે ભારતમાં હવે સ્લીપર કોચ થશે ઉપલબદ્ધ, લક્ઝરી અને કમ્ફર્ટનો હશે અનોખો સંગમવંદેભારતના આ સ્લીપર કોચને જોઈને તમારું દિલ પણ કહેશે વાહ.. આધુનિક સુવિધાઓ સાથે સ્લીપર ટ્રેન ટૂંકસમયમાં જ તૈયાર થઈ જશે. તેની ડિઝાઇન એકદમ આધુનિક છે અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. હમેશા જનતા માટે રેલવે દ્વારા કોઈને કોઈ યોજના અથવા તો કોઈ નવી સુવિધાઓ ઉપલબદ્ધ કરતી હોય છે. છેલ્લા થોડા સમયમાં રેલવેની નવી વંદેભારત ટ્રેન દોડવામાં આવી છે જે હાલ 3 રુટ પર કાર્યરત છે. થોડા સમયમાં 4 વંદેભારત પણ શરૂ થવા જઇ રહી છે. અત્યારે વંદેભારત એ ચેરકારમાં ચાલી રહી છે. પરંતુ ટૂંક સમયમાં…