– 21 ને 22 ઓકટોબર બે દિવસ દરમિયાન નિગમના તમામ કર્મચારીઓ કરશે આંદોલન- ઘણા સમયથી રજાઓ અને પગાર સહિતની વિવિધ માંગણીઓ પેન્ડિંગ આજથી રાજ્યના એસટીના કર્મચારીઓ આંદોલન ઉપર ઉતર્યા છે. એસટીના કર્મચારીઓ પોતાની માંગણીઓ સંતોષાય ન ત્યાં સુધી એસટી નિગમના તમામ કર્મચારીઓ કાળીપટ્ટી પહેરી પોતાની ફરજો બજાવી વિરોધ નોંધાવશે. તા.20-10ના રોજ નિગમના દરેક વિભાગ-ડેપો ખાતે પડતર માંગણીઓ બાબતે વિભાગીય નિયામક, ડેપો મેનેજર મારફત નિગમના વડાને આવેદનપત્ર પાઠવશે.તારીખ 21 ને 22 ઓકટોબર બે દિવસ દરમિયાન નિગમના તમામ કર્મચારીઓ રાજયના મુખ્યમંત્રી તથા વાહન વ્યવહાર મંત્રી તેમજ નિગમના વડાને ટેક્ષ મેસેજ, ટવીટર, સ્ટેટસ સોશીયલ મીડીયા મારફત પડતર માંગણીઓ રજુ કરશે. જયારે તા.25/26/27 ત્રણ…
કવિ: wcity
બિપોરજોય વાવાઝોડાનો આતંક આંખ સામે આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ ગુજરાત પર વધુ એક આકાશી આફત આવી રહી છે. વાવાઝોડાને લઈ ગુજરાતમાં ફરી વાવાઝોડાના વાદળો બંધાયા છે. ગુજરાત પર બિપોરજોય જેવી જ બીજી મોટી આફત આવી રહી છે. ગુજરાત તરફ હવે વધુ એક આકાશી આફત આવી રહી છે. અરબ સમુદ્રમાં વિકસિત થવાની સંભાવના છે. દક્ષિણ પૂર્વ અરબ સમુદ્ર અને નજીકવર્તી દરિયા કિનારે એક સાઈક્લોનિક સર્ક્યુલેશન રચનાત્મક સ્તરની નીચેની દબાણ ક્ષેત્ર બનવાની આશા છે. પરંતુ તેની ગુજરાત પર શું અસર થશે તે હજી સ્પષ્ટ નથી. વધુ એક વાવાઝોડું સક્રિય થવાની હવામાન વિભાગની આગાહી છે. હજુ બિપોરજોય વાવાઝોડાનો આતંક આંખ સામે…
ખેડા: મુસ્લિમ યુવકોને ફટકારવાનો મામલો: ચાર આરોપી પોલીસકર્મીઓને 14 દિવસની જેલની સજા પોલીસે 2022માં નવરાત્રી દરમિયાન ગરબા પર પથ્થરમારાની ઘટના બાદ ઉંઢેલા ગામમાં મુસ્લિમ સમુદાયના યુવકોને જાહેરમાં થાંભલા સાથે બાંધીને ડંડા ફટકાર્યા હતા અમદાવાદ: ૦૪ ઓક્ટોબર ૨૦૨૨ના દિવસે ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં મુસ્લિમ યુવકોને થાંભલા સાથે બાંધીને જાહેરમાં ફટકારવાની ઘટનામાં ચાર પોલીસકર્મીઓને ગુજરાત હાઈકોર્ટે ૧૪ દિવસની જેલની સજા ફટકારી છે. પોલીસના અત્યાચારનો ભોગ બનેલા એક મહિલા સહિતના ચાર આરોપીએ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. અરજદારોનો આક્ષેપ હતો કે તેમને જાહેરમાં માર મારીને પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનો ભંગ કર્યો હોવાથી તેમની સામે કોર્ટની અવમાનના કરવાના ગુના હેઠળ કાયદાકીય કાર્યવાહી…
વાંકાનેરના રાતાવીરડામાં ઘરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેણાંક મકાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડ ૧૬,૦૫૦ ના મુદ્દામાલ સાથે તેણીઉ ધરપકડ કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતીજાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં પીએસઆઈ બી.પી. સોનારાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે મયુરધ્વજસિંહ જાડેજા તથા અજયસિંહ ઝાલાને સંયુક્ત રાહે મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના રાતાવરીડા ગામે હનાભાઇ દેવરાજભાઇ ઉકેડીયાના રહેણાંક મકાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા હનાભાઇ દેવરાજભાઇ ઉકેડીયા જાતે કોળી, ચંદુભાઇ સોમાભાઇ ઉકેડીયા જાતે…
વાંકાનેરની પંચાસીયા દુધ ઉતપાદક મંડળીના પ્રમુખ-મંત્રી સામે વિશ્વાસઘાતની ફરિયાદ વાંકાનેર તાલુકાની પંચાસીયા દુધ ઉતપાદક મંડળી લી.ના મંત્રી અને ! પ્રમુખ ૫ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છેજાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાલબાગમાં બ્લોક નં.બી-૧/૬, ક્વાર્ટર નં.૩૧ માં રહેતા ભરતભાઇ બીજલભાઇ ડાંગર જાતે આહીર (૩૩) એ હાલમાં પંચાસીયા દુધ ઉતપાદક મંડળી લી.ના મંત્રી સમીરભાઇ હુસેનભાઇ માથકીયા અને પ્રમુખ નજરુદીનભાઇ અમીભાઇ ખોરજીયા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, પંચાસીયા દુધ ઉતપાદક મંડળી લી. માં વર્ષ ૨૦૨૦- ૨૦૨૧…
ગુજરાતમાં હાર્ટ એટેકે તો ભારે કરી ! સુરત અને રાજકોટમાં થયા 1-1 મોતગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ બે હાર્ટ એટેકથી મોતના બનાવ સામે આવ્યા ગુજરાતમાં હાર્ટ એટેકે તો ભારે કરી ! સુરત અને રાજકોટમાં થયા 1-1 મોતગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી…
ઢુંવા નજીક આવેલ બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડ ફેકટરીના સંચાલકો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ ઉપર આવેલ બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડ ફેક્ટરી દ્વારા કરવામાં આવતા એક્સપોર્ટ વ્યાપારમાં સરકાર તરફથી મળતા પ્રોત્સાહક યોજનાના રૂપિયા 71.45 લાખના 29 એક્સપોર્ટ કુપન બોગસ ઈ-મેઇલને આધારે ઓળવી લઈ ભેજાબાજ ગઠિયાએ ઠગાઈ કરતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.ઠગાઈના આ ચોંકાવનાર કિસ્સાની વિગતો જોઈએ તો વાંકાનેરના માટેલ-ઢુંવા રોડ ઉપર બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડ નામની ફેક્ટરી ધરાવતા દેવેન્દ્રભાઇ છગનભાઇ પનારા, રહે.601, ગણેશ પેલેસ, અવની ચોકડી, કેનાલ રોડ, મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બોગસ ઈ-મેઈલ…
વાંકાનેરના હસનપર ઓવરબ્રિજ પાસે ત્રિપલ અકસ્માત વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ હસનપર ઓવરબ્રિજ પાસે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં કારમાં નુકસાની થઈ હોવા અંગેની હાલમાં યુવાને ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છેબનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના જીયાણા ગામે રહેતા પાર્થભાઈ પ્રવીણભાઈ દેવમુરારી જાતે બાબાજી (૩૦)એ હાલમાં ટ્રક નંબર જીજે ૧ એક્સ ૫૩૮૭ ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ હસન પરના અવર બ્રિજ પાસે ટ્રક ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીની કારની પાછળના…
વીરપુર/ BJP મહિલા ઉપપ્રમુખના પતિએ શંકામાં ભત્રીજાની કરી હત્યાતાલુકા પંચાયતના ભાજપના મહિલા ઉપપ્રમુખના પતિ રાજુ બારૈયાની દીકરી સાથે મૃતક ફોનમાં વાતચીત કરતો હોવાનો ખાર રાખી હત્યા કરી નાખી છે. વિરપુર જેવી પવિત્ર જગ્યામાં ખેલાયો ખૂની ખેલ, જ્યાં એ વાત થી ખળભળાટ મચી ગયો છે કે તાલુકા પંચાયત ભાજપના મહિલા ઉપપ્રમુખના પતિ રાજૂ બારૈયાએ દીકરીના આડા સબંધમાં યુવકની હત્યા કરી દીધી છે. આ વાતની જાણ ગ્રામજનોમાં થતાં ગામમાં પણ ચકચાર મચી ગયો છે. તાજેતરમાં પ્રેમ લગ્નની હત્યાના કિસ્સાઓ ખૂબ સામે આવી રહ્યા છે. સાથે લોકો વાત સમજ્યા વિચાર્યા વિના જ પગલું ભરી લે છે. ખાસ કરીને યુવક- યુવતીનો કેસ હોય ત્યારે…
ઇઝરાયલના યુદ્ધથી ભારતમાં તણાવ વધ્યો, ઘણા રાજ્યોમાં એલર્ટઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારત પર પણ દેખાઈ રહી છે. દિલ્હી, મુંબઈ, હિમાચલ, ગોવા અને રાજસ્થાન સહિત દેશના ઘણા રાજ્યોમાં પોલીસ એલર્ટ પર છે અને સંપૂર્ણ સતર્કતા સાથે નજર રાખવામાં આવી રહી છે. દિલ્હીથી તેલ અવીવનું અંતર 4 હજાર કિલોમીટરથી વધુ છે. પરંતુ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર અહીં પણ જોવા મળી રહી છે. દિલ્હી, મુંબઈ, હિમાચલ, રાજસ્થાન સહિત દેશના ઘણા રાજ્યોમાં એલર્ટ છે અને યહૂદી સમુદાય સાથે સંબંધિત સ્મારકો અને અન્ય સ્થળોની સુરક્ષા કડક કરવામાં આવી છે. દિલ્હી પોલીસ ઈઝરાયેલની દૂતાવાસ અને રાજદ્વારીઓને કડક સુરક્ષા પૂરી પાડી…