વાંકાનેર : વાંકાનેરમાં જીનપરા રોડ ઉપર રહેતા યુવાનની રિસામણે ગયેલી પત્નીએ પોલીસ કેસ કરતા યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ખાતે જીનપરામાં રહેતા અને પીપરમેન્ટ બિસ્કિટની ફેરી કરતા અભીજીતભાઇ હસમુખભાઇ ભીંડોરા (ઉ.38)નામના યુવાને ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.વધુમાં આપઘાતનો પ્રયાસ કરનાર અભીજીતભાઇ પીપરમેન્ટ બિસ્કીટની ફેરી કરી ગુજરાન ચલાવે છે અને માતા-પિતા સાથે રહે છે. થોડા વર્ષ પહેલા તેણે મોરબીના દિપ્તીબેન સાથે બીજા લગ્ન કર્યા હતા અને દિપ્તીબેનના પણ આ બીજા લગ્ન હતાં. પરંતુ પાંચ છ…
કવિ: wcity
વાંકાનેર નજીક એક્ટિવા આડે ખુટિયો આવતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું મોત વાંકાનેર નજીકના નવી રાતીદેવડી ગામ તરફ જવાના રસ્તા ઉપરથી આધેડ પોતાનું એકટીવા લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના એક્ટિવાની આડે ખુટિયો ઉતર્યો હતો જેથી કરીને આધેડે પોતાના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને તે રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડાના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે બનાવી જાણવા મળતી માહિતી મુજબ…
સુરત માં ઉધના વિસ્તાર માં આવેલ અક્ષરકુંજ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં લાગેલી આગનો ભેદ ઉકેલાયો, પેટ્રોલ ચોરી કરતી વેળાએ સિગારેટ સળગાવતા આગ લાગી હતી સુરતના ઉધના તરણકુંડ પાસે આવેલા અક્ષરકુંજ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં ગત 13 નવેમ્બરના રોજ આગ લાગી હતી. જેમાં 18 મોટર સાયકલ તેમજ 20 ડીજીવીસીએલ કંપનીના ઇલેક્ટ્રિક મીટર તથા વાયરીંગ બળીને કુલ 5.84 લાખ જેટલું નુક્શાન થયું હતું. આ ઘટનામાં પોલીસે એક કિશોર સહીત 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પેટ્રોલ ચોરી કરવા ગયા હતા. આ દરમિયાન માચીસથી સિગારેટ સળગવતા આગનો બનાવ બન્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ, સુરતના ઉધના તરણકુંડની બાજુમાં અક્ષરકુંજ એપાર્ટમેન્ટ આવેલું છે. ગત 13…
વાંકાનેરમાં જલારામ જયંતિ નિમિત્તે રઘુવંશી પરિવાર દ્વારા માર્કેટ ચોકમાં કરાયું પ્રસાદનું વિતરણ વાંકાનેરમાં જલારામ જયંતિ નિમિત્તે શહેરનાં હાર્દ સમા માર્કેટ ચોક ખાતે રઘુવંશી સમાજ દ્વારા પ્રસાદ વિતરણ કરી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. “દેને કો ટૂકડા ભલા લેને કો હરી કા નામ, જય જય જલારામ” વાંકાનેરમાં 224 મી જલારામ જયંતિ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી, ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજન અર્ચન, આરતી, ભક્તિ સંધ્યા જેવા કાર્યક્રમોનું આયોજન ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા તથા શહેરનાં માર્કેટ ચોક ખાતે રઘુવંશી પરિવાર દ્વારા જલારામ બાપાની મૂર્તિનું પૂજન અર્ચન કરી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો, 67વાંકાનેર કુવારવા ધારાસભ્ય જીતુભાઈ…
કેરાળા ફાયરિંગ પ્રકરણમાં નવો વળાંક : ઇજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો…. વઘાસીયા ટોલનાકા નજીક ફાયરીંગ પ્રકરણમાં ફરાર આરોપી વૃદ્ધ પર ચાર શખ્સોએ હુમલો કર્યો’તો, અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત…. વાંકાનેર તાલુકાના કેરાળા ગામે થયેલ ફાયરિંગ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે, જેમાં નવા વર્ષના દિવસે થયેલ ફાયરિંગ પ્રકરણમાં ફરાર આરોપી પર વઘાસીયા નજીક બે દિવસ પૂર્વે ચાર શખ્સોએ હુમલો કરી બેફામ માર માર્યો હતો, જેમાં ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજે મધ્યરાત્રિના આ ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે…. બનાવની આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત તા. ૧૪, મંગળવારના રોજ…
વાંકાનેરમાં જમીનના દલાલને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા સાત વ્યાજખોરોની સામે ફરિયાદ વાંકાનેરમાં નવા બસ સ્ટેન્ડની સામે આરોગ્યનગર ખાતે રહેતા અને જમીનની દલાલીનું કામ કરતાં યુવાને સમયાંતરે રૂપિયાની જરૂર હોવાથી જુદાજુદા સાત વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા અને વ્યાજે લીધેલ રૂપિયાની સામે અનેક ગણું વધારે વ્યાજ ચૂકવી આપેલ છે તો પણ તેની પાસેથી પેનલ્ટી વસૂલ કરવા માટે ફોન કરીને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવેલ છે અને તેને મોતનો ભય બતાવીને કાર અને જમીનના સોદાખત કરાવી લીધેલ છે તેમજ કોરા અને રકમ લખેલા ચેક સહી કરાવીને મેળવી લીધેલ છે તેમજ જંગમ તથા સ્થાવર મિલ્કત બળજબરીથી કઢાવી લેવા…
ગાંધીનગર : રાંધેજા નજીક ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત, 1 ઇજાગ્રસ્ત ધેજાપેથાપર હાઈવ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. કારચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. કારમાં કુલ છ લોકો સવાર હતા.રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અકસ્માતની વધુ એક ઘટના પાટનગર ગાંધીનગરમાં બની છે. રાંધેજા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માતની ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ગાંધીનગરના રાંધેજા પેથાપર હાઈવ પર ગત મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં…
વાંકાનેરના કેરાળા ગામે થયેલ ફાયરિંગના ગુનાના આરોપી ઉપર નવા વઘાસીયા પાસે ચાર શખ્સોએ કર્યો હુમલો વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના દિવસે રામરામ કરવા બાબતે બોલાચાલી ઝઘડો અને ફાયરિંગ કર્યું હતું જે ઘટનાના આરોપી ઉપર વાંકાનેરના નવા વઘાસીયા ગામ પાસે ફાટક નજીક ચાર શબ્દો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ફોરવીલ કારમાં આવેલા શખ્સોએ વૃદ્ધના બાઇકને રોકાવીને તેને લાકડી વડે જેમ ફાવે તેમ માર મારીને ગાળો આપી હતી અને બંને હાથે અને પગે ગંભીર ઇજા કરી હતી તેમજ મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને હાલમાં સારવાર લીધા બાદ વૃદ્ધે નોંધાવેલ…
સુરત માં ભાઈબીજ દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાગડી લોકો માટે દર્શન માટે મુકવામાં આવી હતી રીપોટર સુનિલ ગાંજાવાલાસુરત સુરત માં ભાઈબીજ દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાગડી લોકો માટે દર્શન માટે મુકવામાં આવતી હોય છે. ત્યારે સંવંત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રી ફળ આપ્યાં હતાં. જે આજે 199 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે. અને જીવની જેમ જતન કરે છે. ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છેસુરતના પરિવારે આ પાઘડી આજથી ૧૯૪ વર્ષ જૂની છે. જેની પાછળ પણ એક ધાર્મિક આસ્થા છુપાયેલી છે. આ પાઘડી…