વાંકાનેર તાલુકાના પીવાના પાણી અને સિંચાઇના વર્ષો જૂના પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાને રાજ્યસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહ ઝાલા અને લોકસભાના સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા દ્વારા રજુઆત કરવામાં આવી.જેમાં સૌપ્રથમ વાંકાનેર તાલુકાના ઢુવા અને ચંદ્રપુર જિલ્લા પંચાયત સીટમાં આવતા અતિ પછાત વિસ્તારના ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે કોઈપણ સગવડતા ન હોય જેથી કરીને કાયમી ઉકેલ લાવવા ખાસ યોજના બનાવવા માટે ગાંધીનગર સચિવાલય ખાતે બાવળિયા સાહેબને શ્રી કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્યો, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ, માજી પ્રમુખો તથા તાલુકા સંગઠન, સરપંચો અને આગેવાનો સાથે રાખીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી.
કવિ: wcity
31 લાખની લૂંટને અંજામ આપનાર ગણતરીની મીનીટોમાં ઝડપાયા, જાણો સમગ્ર ઘટના…શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લાખો રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે, જેમાં નેશનલ હેન્ડલુમમાંથી રોકડ લઈને નીકળેલા વ્યક્તિને આંતરી બે મિત્રોએ 31 લાખથી વધુની લૂંટ કરી હતી, જોકે આસપાસના લોકોએ અને પોલીસે સમય સુચકતા વાપરીને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લાખો રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે, જેમાં નેશનલ હેન્ડલુમમાંથી રોકડ લઈને નીકળેલા વ્યક્તિને આંતરી બે મિત્રોએ 31 લાખથી વધુની લૂંટ કરી હતી, જોકે આસપાસના લોકોએ અને પોલીસે સમય સુચકતા વાપરીને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પેટ્રોલ પંપ પર અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા…
વાંકાનેરમાં આવેલા જુના જીઈબી મકાનનો ઇમલો તોડતી વખતે દૂર્ઘટના સર્જાઇ હતી. જેમાં છત માથે પડતાં દબાઇ જવાથી એમપીના બે મજૂરના મોત થયા છે.જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં જુની જીઇબી કચેરી જ્યાં અગાઉ બેસતી હતી તે મકાનનો ઇમલો હાલમાં ખાનગી પાર્ટીએ ખરીદી લીધો હોઇ જુનુ બાંધકામ તોડવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેમાં મજૂરો કામે આવ્યા હોઇ ગઇકાલે આ બાંધકામ તોડતી વખતે છત માથે પડતાં બે મજૂર દબાઇ ગયા હતાં. જેમાં મુળ મધ્યપ્રદેશના રાજેશ બાલસીંગ પરમાર (ઉ.વ.૧૮)નું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે મુળ એમપીના મુનસિંગ મોહનભાઇ ડામોર (ઉ.વ.૪૫)ને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેનું મોત નિપજતાં…
મોરબીના ચકચારી કેસમાં આરોપી વિભુતિ પટેલ ઉર્ફે રાણીબા અને તેના ભાઇ સહિતના ત્રણ આરોપીની ધરપકડ મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જે બનાવમાં લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૧૨ સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીના રિમાન્ડ નામંજૂર આરોપીને કરવામાં આવેલ છે દરમિયાન આજે બપોરના સમયે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા તથા તેનો ભાઈ સહિત ત્રણ આરોપીઓ મોરબીમાં પોલીસ સમક્ષ રજૂ…
વાંકાનેરના વઘાસિયા ટોકનાકા નજીક માવઠામાં કરા પડતાં દસ જેટલા કારખાનામાં મોટું નુકશાન મોરબી જિલ્લામાં આજે સવારથી માવઠાની અસર જોવા મળી રહી છે અને છૂટો છવાયો વરસાદ પણ થયેલ છે ત્યારે વાંકાનેર તાલુકાનું વાત કરીએ તો તોફાની પવન અને આકાશમાંથી કરા પડ્યા હતા જેથી કરીને સીરામીક કારખાનાના શેડ હાલમાં ચારણી જેવા થઈ ગયા છે અને વઘાસિયા પાસે એક કે બે નહીં પણ ૧૦ જેટલા કારખાનામાં મોટું નુકશાન થયેલ છે જેથી કારખાનામાં કામ બંધ કરવામાં આવ્યું છે હાલમાં મળી રહેલી માહિતી મુજબ વઘાસિયા ટોલનાકા પાસે આવેલ ક્યુરેક્સ સિરામિક, મલ્ટીસ્ટોન સિરામિક, સ્નોબ સેનેટરીવેર્સ, આઇકોન સિરામિક સહિતના ૧૦ જેટલા કારખાનામાં શેડ ચારણી જેવા બની…
વાંકાનેર : અમરસર ફાટક પાસે બાઇક ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત, એક ઇજાગ્રસ્ત રિપોર્ટર શાહરૂખ ચૌહાણ વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે દુધની ડેરી સામેથી પસાર થતા એક પદયાત્રી મહિલાને ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જ્યારે બાઇક ચાલક યુવાનને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે…બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક અમરસર ફાટક પાસે દુધની ડેરી સામે આજે રાત્રીના 8 વાગ્યાની આસપાસ એક બાઇક ચાલકે ત્યાંથી પસાર થતા મહિલા પદયાત્રીને હડફેટે લેતા ગંભીર અકસ્માત…
વાંકાનેર તાલુકા પંચાયત ખાતે નવા કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેરની અધ્યક્ષતામાં પ્રથમ કારોબારી બેઠક યોજાઇ હતી.જેમાં વાંકાનેર તાલુકાના વિકાસને વેગ આપવા માટે વિવિધ કામોને બહાલી આપવામાં અંગે, ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી ખર્ચની મંજુરી અંગે, ઓરિયા ધોરીયાની આવેલ અરજીઓની બહાલી અંગે, વિદ્યાર્થીઓના નામ, અટકમાં સુધારા અંગે તથા ડેડ સ્ટોક રદ કરવા બાબતના કામો તથા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સૌપ્રથમ વાંકાનેર તાલુકા પંચાયત ખાતેથી જ તાત્કાલિક પંચાયત ગ્રાઉન્ડની સાફ સફાઈ કરવામાં આવી હતી l
વાંકાનેરની લુણસર ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત વાંકાનેરથી ભોજપર ગામ તરફ જઈ રહેલા આધેડના બાઇકને લુણસર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતમાં ઇજા પામેલા આધેડને રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છેબનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભોજપર ગામે રહેતા રાધેશ મૂળજીભાઈ ચાવડા (૫૦) નામના આધેડની વાંકાનેરમાં બુટ પોલીસની દુકાન…
વાંકાનેરમાં આવી પહોચેલ મહિલાને અભયમની ટીમે આશ્રય અપાવ્યો વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપર એક મહિલા પોતાના ૨ નાના બાળકો સાથે વાંકાનેર આવી પહોંચી હતી. જે બાદ અન્ય વ્યક્તિ દ્વારા ૧૮૧ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં ૧૮૧ ના કો.ઓર્ડીનેટર તુષાર સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં મહિલા કાઉન્સિલર જાગૃતિ ભૂવા દ્વારા કોલ લેવામાં આવ્યો હતો. જે બાદ ૧૮૧ ટીમ વાંકાનેર રેલ્વે સ્ટેશન પર ગયેલ જ્યાં મહિલાને મળી અને શાંત્વના પાઠવી હતી. ત્યારબાદ મહિલા કાઉન્સિલર જાગૃતિ બેન એસ મહિલાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે મહિલા તેના પતિ સાથે મૂળી ગામ પાસે આવેલ એક વાડીમાં રહે છે કે જે બાદ તેના પતિ…
વિકસિત ભારત સંકલ્પ યાત્રાવાંકાનેરના ઢુવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન “વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારી યોજનાઓ ઘર આંગણે આવી છે.”- સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું નિદર્શન નિહાળ્યું ; વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી લોકો વાકેફ થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે વાંકાનેર તાલુકાના ઢુવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું.આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, “આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરકારશ્રીની યોજનાઓનો લાભ કેવી રીતે…