કવિ: wcity

આવતીકાલથી શરુ થનારી રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાની મોનેટરી પોલીસી કમીટીની બેઠકમાં વ્યાજદર વધારા અંગે નિર્ણય લેવાશે અને નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જે રીતે ફુગાવાની સ્થિતિ નીચી આવી છે તે જોતા રિઝર્વ બેંક વધુ એક વખત વ્યાજદર વધારા-ઘટાડાનો નિર્ણય સ્થગીત રાખે તેવી શકયતા છે. એક તરફ સીસ્ટમમાં લીકવીડીટી વધી રહી છે. ખાસ કરીને રૂા.2000ની ચલણી નોટો બેંકોમાં જમા થવા લાગતા બેંકો પાસે પણ રોકડ વધી છે તો બીજી તરફ બેંકોમાં એકસચેંજ થતી રૂા.2000ની ચલણી નોટોની સામે નાની નોટો આવતા તે બજારમાં આવી રહી છે અને હાલ રિઝર્વ બેંક વધુ બે માસ સુધી પરીસ્થિતિની સમીક્ષામાં વ્યાજદર યથાવત રાખે તેવી ધારણા છે. છ સભ્યોની…

Read More

પાણી આપો…પાણી આપો…: વાંકાનેર પ્રાંત કચેરીમાં મહિલાઓનો બેડા સાથે મોરચો, કારણ કે…. ગુલાબનગરના નાગરિકો છેલ્લા 2.5 મહિનાથી પાણીથી વંચિત, કોઈપણ જવાબદાર તંત્ર મહિલાઓની પુકાર ન સાંભળતા મહિલાઓ બેડા સાથે કચેરીએ દોડી આવી…. વાંકાનેર શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર સોસાયટીમાં છેલ્લા 2.5 મહિનાથી પાણી વિતરણ તદ્દન બંધ હોય જેના કારણે સ્થાનિક નાગરિકો હેરાનપરેશાન થઈ રહ્યા છે, જેમાં આ બાબતે જવાબદાર તંત્રને અનેક લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા આખરે આજે સ્થાનિક મહિલાઓ પાણીની બેડા સાથે પ્રાંત કચેરીમાં ધસી આવી ‘ પાણી આપો…પાણી આપો…પાણી આપો…’ ની પુકાર લગાવી હતી…. બાબતે ગુલાબનગરની મહિલાઓ નાના…

Read More

લીલીયા તાલુકાના ખારા ગામે પતિએ પત્નીને બરફનો ગોલો ખાવા માટે જવાની ના પાડતા માઠું લાગી આવતા ઘરની છત સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે આવેલા એક ખેતરમાં રહેલી પાણીની કુંડીમાં રમતા રમતા પરપ્રાંતીય પરિવારના દોઢ વર્ષનો બાળક પાડી જતાં તેનું કમકમાટી ભર્યું મોત નિપજયું હતું.લીલીયા તાલુકાના ખારા ગામે રહેતા દિવયાબેન માણસુરભાઈ ગરણીયા (ઉ.વ.૨૬) બાજુમાં રહેતા અન્ય મહિલાઓ સાથે બરફના ગોલા ખાવા માટે જતા હોય અને તેના પતિ દ્વારા તેને ગોળો ખાવા માટે જવાની ના પાડતા લાગી આવતા પોતાના ઘરે રૃમમાં અંદર છતમાં રહેલ હૂક સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો…

Read More

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં મેડિકલ ઓફિસર પૈકીના ૧૯ તબીબોએ તબીબી અધિક્ષક તેમજ આરોગ્ય કમિશનરને સંબોધીને એક આવેદનપત્ર લખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં દિનપ્રતિદિન ઓપીડી અને ઇમર્જન્સી રૂમમાં દર્દીઓનો ધસારો વધતો જાય છે. દર્દીઓની યોગ્ય રીતે સારવાર થઇ શકે તે માટે ઇમર્જન્સી રૂમમાં એમએલસી અને નોન એમએલસી મેડિકલ ઓફિસર અલગ અલગ ફાળવવા જોઇએ, ઇમર્જન્સી રૂમમાં રોટેશન મુજબ તમામ મેડિકલ ઓફિસરને ડ્યૂટી ફાળવવી જોઇએ, તમામ ડ્યૂટી કરનારા ડોક્ટરોને જેલ અને પેરીફેરલ ડ્યૂટી માટે રોટેશનલ ડેપ્યુટેશન આપવું જોઇએ.ઓપીડી અને ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતાં તબીબોમાં ડ્યૂટી બાબતે પણ ગણગણાટ શરૂ થયો હતો. તબીબોએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે,…

Read More

અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાતની ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. એવું રહેવામાં આવી રહ્યું છે કે ૭ જૂને લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે, જે બાદ ૧૨ થી ૧૪ જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા છે. ૧૩ જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તો દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આગામી તા.૧૨ થી ૧૪ જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. ૭ જૂને લક્ષદ્રીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. ૧૩ જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારાની નજીક હોઈ શકે છે. ૧૩…

Read More

વાંકાનેરમાં કોળી કેરિયર એકેડમી દ્વારા તેજસ્વી વિદ્યાર્થી તેમજ કર્મચારી સન્માન સમારોહ નું આયોજન વાંકાનેર વિસ્તાર ના કોળી સમાજના જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વાંકાનેર વિસ્તાર માં તેજસ્વી વિધાર્થી તેમજ કર્મચારી સન્માન સમારોહ નુ આયોજન કરેલ હોય તો આવા શૈક્ષણીક કાર્યમાં આપ સૌ જ્ઞાતીબંધુઓ વિધાર્થી ભાઈ-બેહનોને મોટી સખ્યામાં ભાગ લો એવી આશા સાથે કોળી કેરીયર એકેડમી દ્વારા આયોજન કર્યું છે. આ મુજબ મુજબના મેરીટ લીસ્ટ ધરાવતા વિધાર્થીઓ સન્માનને પાત્ર થશે.ચાલુ વર્ષ ૨૦૨3 માં પાસ કરેલ હોય તે જ માર્કશીટ માન્ય રહેશે.ધોરણ ૧૦ – પાસધોરણ ૧૨ – પાસ (તમામ પ્રવાહ)સ્નાતક (ગ્રેજયુએટ)અનુ સ્નાતક (પોસ્ટગ્રેજયુએટ) કક્ષાએ -વ્યવસાય લક્ષી કોર્ષ B.ed./P.T.C./A.T.D./C.P.ed/B.P.ed/M.ed/M.P.ed/L.L.B.મેડીકલ…

Read More

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રકના ચોર ખાનામાં દારૂ છુપાવી નીકળેલા પિતાપુત્રને ઝડપી લેતી એલસીબી વિદેશી દારૂના 2.44 લાખના જથ્થા સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી ટીમે અશોક લેલન ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં છુપાવેલ વિદેશી દારૂના 2.44લાખથી વધુના જથ્થા સાથે રાજકોટના પિતા પુત્રની જોડીને ઝડપી લઈ ટ્રક સહિત કુલ 15 લાખથી વધુનો જથ્થો કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ, નંદલાલ વરમોરા, પૃથ્વીરાજસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડાને સયુકતમાં બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી અશોક લેલન ટ્રક નંબર GJ-14-Z-6800 રાજકોટ…

Read More

રાજકોટે સોના ચાંદી અને ઇમિટેશન જવેલરી બનાવવામાં દિવસેને દિવસે હરણફાળ ગતીએ આગળ વધી રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે વેપારીઓ માટે ચિંતાનો વિષય બનતી એક સમસ્યા છે કારીગરો દાગીના ઓળવી જવાની. રાજકોટ બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ રાજકોટમાં ચાંદીના દાગીના બનાવવાનું કામ કરતા 3 વેપારી સાથે દાગીના પાલીસ કરવાનું કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના ૩ પિતા પુત્રોએ કુલ ૧૨૨.૪૦૮ કિલોગ્રામ ચાંદી ઓળવી જઇ પરત ન આપી કુલ રૂ. ૫૬.૩૩ લાખની છેતરપિંડી આચરતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.ફરિયાદી અંકિતભાઇ બાબુભાઇ દુધાત્રા (ઉ.વ.૨૯)એ જણાવ્યું હતું કે, ગાયત્રી સિલ્વર નામે ચાંદીની પેઢી આવેલ છે જયા ચાંદીનાં દાગીનાં બનાવવાનું કામ કરુ…

Read More

વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં થયેલ કૌભાંડની માહિતી સામે આવી રહી હતી અને તેની તપાસ કરવામાં આવી રહી હતી જેના અંતે ડીડીઓ દ્વારા ડીપીઇઓને ફરિયાદ નોંધાવવામ માટે અધિકૃત કરવામાં આવતા વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં કરાયેલ ૫૩.૧૫ લાખની સરકારી નાણાની ઉચાપતની ત્રણ શિક્ષકોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જીલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી અને તેના આધારે ૫૩.૧૫ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતુ જેથી કરીને સરકારી નાણાની ઉચાપત…

Read More

વાંકાનેર શહેર નજીક ઝાંઝર સિનેમા પાસે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત…ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત….. વાંકાનેર શહેર નજીક આજે સાંજના ૮:૧૫ વાગ્યાની આસપાસ ઝાંઝર સિનેમા પાસે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર એક ટ્રક અને ત્રિપલ સવારી બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હાલ પોલીસ ટીમ દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવી રહી છે….બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ઝાંઝર સિનેમા સામે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે…

Read More