મોરબી -હળવદ હાઇવે ઉપર હરિઓમ સોસાયટી નજીક બનેલી ઘટનામાં લોકોના ટોળેટોળા મોરબી : મોરબી – હળવદ હાઇવે ઉપર ઘુંટુ નજીક રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે જતી પોલીસની બોલેરો જીપે બાઈક ચાલક આધેડને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો અને બનાવ સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા.બનવા અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી -હળવદ રોડ ઉપર ઘુંટુ નજીક આવેલ રિઓમ સોસાયટી પાસે હળવદ તરફથી બાઈક લઈને પોતાની સાઈડમાં જઈ રહેલા હીરાભાઈ બચુભાઈ રોઝડીયા નાના આધેડને રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ધસી આવેલ પોલીસની બોલેરો કારના ચાલકે હડફેટે લેતા હરિભાઇને ગંભીર ઈજાઓ સાથે સારવાર ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ…
કવિ: wcity
વાંકાનેરની આસ્થાગ્રીન સોસાયટીમાં પાણીના ધાંધીયા દૂર કરવાની સ્થાનિક લોકોની માંગ વાંકાનેરમાં આવેલ ઝાંઝર સનેમાની બાજુમાં નેશનલ હાઈવે ૮-એ પાસે આવેલ આસ્થાગ્રીન સોસાયટીમાં રહેતા જયદિપ એન. સિધ્ધપુરા અને ત્યાના લોકોએ કલેકટર તેમજ તાલુકા પંચાયતમાં લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના હસનપર ગામના સર્વે નં. ૧૦૫/૧ પૈકી ૧, ૧૦૫/૧ પૈકી ૨, ૧૦૫/૨ તથા સર્વે નંબર ૧૦૫/૩ વાળી જમીન બિનખેતી કરી તેના ઉપર રહેણાંક હેતુ માટેનું પ્લોટીંગ કરવામાં આવ્યું હતું અને ત્યાં આસ્થાગ્રીન સોસયાટી બનાવવામાં આવેલ છે તે સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી આસરે ૬૦ થી ૭૦ જેટલા પરીવારો રહે છે તેઓને ચોખ્ખુ પીવાનું પાણી મળતું નથી જેથી કરીને લોકોને…
ખેડૂત આંદોલન વચ્ચે રાકેશ ટિકૈતની ચેતવણી..કહ્યું, દિલ્હી દૂર નથી ટિકૈતે કહ્યું કે જ્યારે દિલ્હીમાં 13 મહિના સુધી આંદોલન ચાલ્યું ત્યારે અમારી સરકાર સાથે 12 રાઉન્ડની વાતચીત થઈ. અમે 22 જાન્યુઆરી, 2021 થી ભારત સરકાર સાથે કોઈ વાતચીત કરી નથી. આ વાતચીત 3 વર્ષ પછી શરૂ થઈ છે. ખેડૂતોને કોઈ મુશ્કેલી આપી તો દિલ્હી દૂર નથી ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે હવે પંજાબ-હરિયાણાના ખેડૂતોની ‘દિલ્હી કૂચ’ પર પોતાનું મૌન તોડ્યું છે. રાકેશ ટિકૈતે નવા ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે અને તેને કાયદેસર ગણાવ્યું છે. તેમણે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો આ ખેડૂતોને સમસ્યાઓ આપવામાં આવશે…
વાંકાનેરની બ્રહ્મ સમાજ સોસાયટીમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે એકે કે બે નહીં 8 જેટલા મકાનમાં ચોરી કરવામાં આવેલ છે જો કે, આ બનાવની પોલીસને જાણ કરેલ છે પરંતુ હજુ સુધી પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાયેલ નથીમોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં તસ્કરો દ્વારા ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે અને તેમાં પણ સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે જે જગ્યાએ ચોરીની ઘટનાઓ બને છે ત્યાં એક સાથે એક કરતાં વધુ જગ્યાઓએ ચોરીની ઘટના બનતી હોય તે પ્રકારની માહિતીઓ સામે આવતી હોય છે છેલ્લા દિવસોમાં હળવદ, મોરબી તાલુકા અને મોરબી શહેર વિસ્તારની અંદર એક થી વધુ જગ્યા ઉપર…
ખેડૂતોની પંજાબના ફતેહગઢ સાહિબથી દિલ્હી તરફ કૂચ, કહ્યું- સરકાર ટાઇમ પાસ કરી રહી છે ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે. પંજાબના ફતેહગઢ સાહિબથી ખેડૂતોના જૂથ દિલ્હી જવા રવાના થયા છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે અમારું આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે. https://twitter.com/ANI/status/1757270706973298818?t=u_4hfPXkkPCo2_0VSHto5A&s=19 ખેડૂત નેતાએ કહ્યું કે, અમે કેન્દ્ર સરકારના મંત્રી પિયુષ ગોયલ અને અર્જુન મુંડા સાથે લાંબી વાત કરી. આ દરમિયાન મંત્રીઓએ ખેડૂતો પરના કેસ પડતી મૂકવાની વાત કરી છે. અન્ય કેટલીક બાબતોનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ ખેડૂતો અને મજૂરોની લોન માફ કરવા અને MSPની બાંયધરી આપવાના કાયદા પર કોઈ સર્વસંમતિ સધાઈ નથી. સર્વન સિંહ પંઢેરે કહ્યું…
વાંકાનેર : વાંકાનેર શહેરમાં આંબેડકર નગરમાં રહેતા મોહનભાઇ જગાભાઇ પરમાર ઉ.65 નામના વૃધ્ધે અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ પાંચ જુગારીઓને દબોચી લીધા વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રેલવે સ્ટેશન સામે આવેલ કોમ્પ્લેક્સમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી દુકાન માલિક સહિત પાંચ જુગારીઓને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રેલવે સ્ટેશન સામે આવેલ શુભમ કોમ્પ્લેક્સ-2 આવેલ દુકાનમાં આરોપી ગુલાબહુશેન મીમનજી શેરસીયા જુગારધામ ચલાવતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા દુકાનમાં જુગાર રમી રહેલા આરોપી ગુલાબહુશેન મીમનજી શેરસીયા, આશીફ ઇકબાલભાઇ માડકીયા, રફીકભાઇ અબુભાઇ કાફી, ઇસ્માઇલભાઇ ઇબ્રાહીમભાઇ સુમરા અને આરોપી મુકેશભાઇ ભોગીલાલ શાહ તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ જતા…
રજા લેવા માટે ટ્રેઈની PSIએ બનાવ્યું સગાઈનું નકલી કાર્ડ, હવે થયા સસ્પેનટ્રેઈની PSIને રજા મેળવવા માટે સગાઈની નકલી પત્રિકા બનાવી હતી. પરંતુ આ રીતે નકલી સગાઈ પત્રિકા બનાવવી ભારે પડી છે. નકલી પત્રિકા મામલે ટ્રેઈની PSI સામે ફરિયાદ નોંધાઈ છે અને તેણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદ: ગાંધીનગરમાં આવેલી કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમી ફરી એકવાર ચર્ચામાં આવી છે. એકેડમીમાં ટ્રેઈની PSIએ રજા મેળવવા માટે પોતાની જ સગાઈ થતી હોવાનું નાટક રચ્યું હતું અને ઉતરી અધિકારીઓ સમક્ષ નકલી કંકોત્રી રજૂ કરીને ગેરમાર્ગે દોરીને રજા મેળવી હતી. જોકે તપાસમાં સમગ્ર કાંડ બહાર આવ્યા બાદ ટ્રેઈની PSIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો…
મહિલા કેદીઓ કેવી રીતે બની ગર્ભવતી? SC ન્યાયાધીશે માંગ્યો રિપોર્ટ તાજેતરમાં જ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનુલ્લાહની બેંચે બંગાળના સુધાર ગૃહમાં કેદ કેટલીક મહિલા કેદીઓની ગર્ભાવસ્થા અંગે સંજ્ઞાન લીધું હતું અને આ મામલે છેલ્લી સુનાવણી હાથ ધરી હતી. પશ્ચિમ બંગાળની જેલમાં બંધ મહિલા કેદીઓની ગર્ભાવસ્થાના મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે આ મામલે તપાસ કરશે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ સંજય કુમારની ડિવિઝન બેંચે શુક્રવારે આ કેસની સુનાવણી કરતા વરિષ્ઠ વકીલ ગૌરવ અગ્રવાલ, જેઓ જેલની સ્થિતિ પર સુઓમોટો કેસમાં એમિકસ ક્યુરી છે, જેલમાં ગર્ભધારણના મુદ્દાની તપાસ કરવા જણાવ્યું હતું અને કોર્ટને અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. તાજેતરમાં જ…
સામાન્ય વહીવટ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ : કચેરીઓ અને શાળાઓમાં રજા રહેશે મોરબી જિલ્લાના ગૌરવ સમાં એવા કરોડો લોકોના પથદર્શક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ નિમિત્તે મોરબી જિલ્લામાં જાહેર રજા રહેશે. આ મામલે સરકારે આદેશ પણ જાહેર કર્યો છે.તા. ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતિ નિમિત્તે ૨૦૦માં જન્મોતસ્વ જ્ઞાન જ્યોતિ પર્વ – સ્મરણોત્સવ સમારોહ મોરબી જિલ્લાના ટંકારા ખાતે યોજવામાં આવનાર છે. જેમાં ભારતના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે પધારનાર છે.સમગ્ર મોરબી જિલ્લાના લોકો મહર્ષિ દયાનંદ સરસ્વતીના મોરબી ખાતે યોજાનાર ૨૦૦માં જન્મોતસ્વ જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહમાં સહભાગી થઇ શકે તેવા હેતુથી તા. ૧૨/૦૨/૨૦૨૪, સોમવારના રોજ મોરબી જિલ્લા ખાતેની તમામ…