કવિ: wcity

જેમાં આવતીકાલે રવિવારે સવારે ચોટીલા ટોલ પ્લાઝા ખાતેથી વાંકાનેર આવતા મહારાણા કેશરીદેવસિંહ ઝાલાનું સ્વાગત કરી વિજય સરઘસની શરૂઆત થશે, જે વાંકાનેર શહેર ખાતે પહોંચી શહેરના રાજમાર્ગો પર ફરી અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ પાસે પૂર્ણ થશે, જ્યા વિશાળ સભા યોજાશે. આ સાથે શહેરમાં સરઘસનો રૂટ જીનપરા જકાતનાકાથી શરૂ કરી લીમડા ચોક, ગ્રીન ચોક, મેઇન બજાર, ચાવડી ચોક થઈ માર્કેટ ચોકમાંથી પસાર થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ સુધી જશે જ્યાં સ્ટેચ્યુ ખાતે જાહેર અભિવાદન સભા યોજાશે. જેમાં સાંસદ તરીકે નિમણુક પામેલ રાજવી કેશરીદેવસિહ ઝાલાનું વિવિધ સંગઠન, વિવિધ સમાજના અગ્રણીઓ, હોદેદારો તેમજ સંતો મહંતો દ્વારા સન્માન કરવામાં આવશે… વાંકાનેર રાજવી પરિવારના મહારાણા કેશરીદેવસિંહ ઝાલાની રાજ્યસભાના…

Read More

ત્રણેક દિવસથી ધ્રાંગધ્રાના ક્લબ સંચાલક દાઉદ મોવરની વાડીમાં જુગારધામ શરૂ કરાયું હોવાનું ખુલ્યું; તે પહેલાં અન્ય વિસ્તારમાં મોટાપાયે જુગાર રમાડી દેવાયો’તો: આઠ લોકો ફરાર: 1.77 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ધમધમતી જુગારક્લબો ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે ધડાધડ દરોડા પાડવાનું શરૂ કરતાં જુગારીઓમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે. સ્થાનિક પોલીસની મીઠી નજર અથવા તો તેમને અંધારામાં રાખીને જુગારધામ ધમધમવા લાગતાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આવો જ એક દરોડો સ્ટેટ મોનિટરિંગ સેલે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પાડીને જુગાર રમી રહેલા રાજકોટના પાંચ સહિત સાતને પકડી પાડ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.વી.પટેલ સહિતના સ્ટાફ…

Read More

સુરતમાં દિવસેને દિવસે વધતી જતી ક્રાઈમની ઘટનાઓ વચ્ચે પોલીસ એક વિદ્યાર્થીનીને આપઘાત કરતાં બચાવી છે. વાત જાણે એમ છે કે, પરીક્ષાને લઈ તણાવમાં આત્મહત્યા કરવા જતી વિદ્યાર્થીનીએ પંખા ઉપર દોરડું બાંધી માત્ર બેથી ત્રણ જણાને દેખાય તેવું વોટ્સએપ સ્ટેટસ સેટ કર્યું હતું. જોકે દહેરાદૂન રહેતી તેની એક મિત્રએ આ સ્ટેટ્સ જોઈ ફોન પર વાત કરતાં વિદ્યાર્થીનીએ આપઘાત કરતી હોવાનું જણાવ્યું હતું. જેથી તેણે તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી. જે બાદમાં સુરતની ખટોદરા પોલીસે વિદ્યાર્થીનીની હોસ્ટેલ પહોંચી તેને આપઘાત કરતાં બચાવી હતી.સુરતના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં એક વિદ્યાર્થીની સિવિલ કેમ્પસમાં ફિઝિયો હોસ્ટેલમાં રહેતી હતી. આ વિદ્યાર્થીનીએ…

Read More

નગરપાલિકાના પાપે વણ વપરાયેલી રહેલી વાંકાનેર પાલિકાની રૂ.2.55 કરોડ, હળવદ પાલિકાની રૂ.1.09 કરોડ અને મોરબી પાલિકાની રૂ.58.79 લાખની ગ્રાન્ટ સરકારમાં પરત જમા કરાવવી પડી મોરબી : મોરબી શહેર અને જિલ્લો વર્ષોથી વિકાસ ઝંખી રહ્યો છે. સમસ્યાઓનો તોટો નથી. આથી સમસ્યાઓ હલ કરવા માટે સરકાર નગરપાલિકાઓને વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મોકલાવે છે પણ નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતને લીધે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વણ વપરાયેલી પડી રહી છે. સરકારી ગ્રાન્ટ ન હોવાના રોદણાં રોતા સત્તાધીશો પ્રજાકીય ગ્રાન્ટ વાપરવામાં અભરે અવળચંડાઈ કરે છે. આથી આ વખતે પણ મોરબી જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં વણ વપરાયેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારમાં પરત જમા કરાવવી પડી હતી. મોરબી જિલ્લાની…

Read More

વાંકાનેર નવારાજાવડલા ગામે જાહેરમાં સ્ટીક લાઈટ ના અજવાળી જુગાર રમતા સાત શકુનિઓ પકડાયા વાંકાનેર ના નવા રાજાવડલા ગામે કેનાલ પાસે સ્ટીક લાઇટ ના અજવાળ જાહેરમાં જુગાર રમતા 7 શકુનિઓ કુલ 12400 રોકડા રૂપિયા સાથે પકડાયા વાંકાનેર નવારાજાવડલા ગામે કેનાલ પાસે જાહેરમાં સ્ટિક લાઈટ ના અજવાળે જુગાર રમતા (૧) રમેશભાઈ પ્રેમજીભાઈ ડેડાણીયા (૨) વિમલ મહેશભાઈ ચાવડા(૩) દિનેશ કાળુભાઈ દેત્રોજા(૪) જગદીશભાઈ વરસિંગ સિહોર(૫) ભરતભાઈ અમૃતભાઈ ચાવડા(૬) સંજયભાઈ રસિકભાઈ સોલંકી(૭) અરૂણભાઇ શંકરભાઈ ડેડાણીયા તમામ રહે રાજાવડલા ને કુલ મુદ્દામાલ 12400 સાથે પકડીને જુગારધારા મુજબ ગુનો નોંધી વાંકાનેર સીટી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

Read More

મોરબી એસઓજી અને વાંકાનેર તાલુકા પોલીસનું સંયુક્ત ઓપરેશન : અંદાજે 50 કિલો ગાંજો હોવાની શક્યતામોરબી : વાંકાનેરના તરકીયા ગામે પોલીસે ગાંજાની ખેતી ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસની ટિમો ઘટના સ્થળે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી અને વાંકાનેર તાલુકા પોલીસે આજે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વાંકાનેરના તરકિયા ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં એક ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. આ ખેતરમાં અંદાજે 50 કિલો જેટલો ગાંજો મળ્યાના અહેવાલ છે. હાલ પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વાંકાનેર પંથકમાં અગાઉ પણ એસઓજી ટીમે દરોડા પાડીને ગાંજાના…

Read More

વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈને રાજ્ય સભાની બે બેઠક માટે ભાજપે ઉમેદાવર જાહેર કર્યા રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના સસ્પેન્સ પરથી પડદો ઉંચકાઈ ગયો છે. અને ભાજપે આખરે રાજ્યસભાની ચૂંટણી માટે અન્ય બે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ નામ છે મોરબી જિલ્લાના વાંકાનેર સ્ટેટના મહારાજા કેસરીદેવસિંહ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈના નામ જાહેર કરવામાં આવેલ છે ભાજપે દર વખતની જેમ ચૂંટણીમાં નવો ચહેરો ઉતારવાનો નિયમ રાજ્યસભામાં પણ કાયમ રાખ્યો છે અને બંને ઉમેદવારો આજે બપોરે બે વાગે ગુજરાત વિધાનસભા ખાતે નામાંકન પત્ર ભરશે આ જીત ભાજપની વનવે જીત બની રહેવાની છે. કારણ કે, કોંગ્રેસે પહેલેથી જ…

Read More

વાંકાનેરના માટેલ નજીક સિરામિક ફેકટરીમાં બનેલો બનાવવાંકાનેર મોરબી જિલ્લાના રખડતા ઢોરની જેમ કૂતરાઓનો ત્રાસ પણ વધ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના માટેલ નજીક સિરામિક ફેકટરીમાં એક અઢી વર્ષના બાળકને કૂતરાએ ખતરનાક રીતે બચકા ભરી ફાડી ખાતા આ માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ રોલ સ્ટાર સિરામિક ફેકટરીમાં કામ કરતા પુનમસિંગ ડામોરના અઢી વર્ષનાં પુત્ર સોહનને તા.11ના રોજ કૂતરાએ ગંભીર રીતે બચકા ભરી ઇજાઓ પહોંચાડતા આ માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Read More

વાંકાનેર ના રાજગઢ ગામે રામજી મંદિર પાસે સ્ટ્રીટ લાઈટ ના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ચાર પતા પ્રેમી પકડાયા વાંકાનેર તાલુકાના રાજગઢ ગામે રામજી મંદિર ની પાસે આવેલી શેરીમાંસ્ટ્રીટ લાઈટ ના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ચાર પતા પ્રેમીઓ 11750 રોકડા સાથે ઝડપાયા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા રાજગઢ ગામે રામજી મંદિર પાસે આવેલી શેરીમાં સ્ટીલાઈટ ના અંજવાળે જાહેરમાં જુગાર રમતા (૧) જયસુખભાઇ છેલાભાઈ દંતસરીયા(૨) મુન્નાભાઈ કેશુભાઈ ચૌહાણ(૩) ધનજીભાઈ ઉર્ફે હકાભાઇ જેરામભાઈ અધેરા(૪) અશોકભાઈ લધુભાઈ કુકાવા તમામ રહે રાજગઢ તાલુકો વાંકાનેર વારા ને પકડીને કુલ મુદ્દામાલ 11700 કબજે કરી જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

Read More

મંગળવારે સવારે લગભગ 8:40 વાગ્યે સોહાવલ રેલ્વે સ્ટેશન નજીક જે યુપીમાં અયોધ્યા કેન્ટ જંકશનથી લગભગ 15 કિમી દૂર છે, મુન્નુ પાસવાને તેના બે પુત્રો, અજય અને વિજય સહિત, કથિત રીતે વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો હતો અને C1 (સીટ 33,34), C3 (સીટ 20,21,22), C5 (સીટ 10,11,12) અને E1 (સીટ 35,36) કોચની ચાર વિન્ડોપેન તોડી નાખી હતી. 9 જુલાઈના રોજ વંદે ભારત એક્સપ્રેસે રેલ્વે ટ્રેકની આજુબાજુ ચરતી વખતે છ બકરાઓને મારી નાખ્યા હતા.અયોધ્યાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, “તપાસ દરમિયાન શરૂઆતમાં એવું જાણવા મળ્યું હતું કે બકરાઓના મોતનો બદલો લેવા માટે, મુન્નુ પાસવાન અને તેના બે પુત્રોએ વંદે ભારત એક્સપ્રેસ…

Read More