મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અકસ્માત મોત મુજબ મૃત્યુ પામનાર વિક્રમસિંહ મહેન્દ્રસિંહ, ઉંમર વર્ષ આશરે ૩૪, ધંધો- મજુરી, હાલનું રહેઠાણ લગધીરપુર રોડ પર આવેલ ઓક્ટીવા સિરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં, તાલુકા-જિલ્લા મોરબીમાં ગત તારીખ ૨૯/૦૧/૨૦૨૫ ના ૦૮:૩૦ કલાકના કોઈ અગમ્ય કારણોસર મૃત અવસ્થામાં મળી આવેલ છે. આ મૃતકનું પોસ્ટમોર્ટમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે આવ્યું હતું. જેના ડાબા હાથમા અંગ્રેજીમા D.J. તથા ફુલની આકૃતિ ત્રોફાવેલ છે અને જમણા હાથમાં હિન્દીમાં તાજ શબ્દ ત્રોફાવ્યો છે. તેના શરીર પર લાલ રંગનું જેકેટ, રાખોડી રંગનું ટી-શર્ટ અને જીન્સનું પેન્ટ પહેરેલું હતું. હતભાગીની ઓળખ મેળવવા અને તેમના વાલી-વારસનો સંપર્ક થાય તે હેતુથી હાલમાં આ લાશ મોરબી…
કવિ: wcity
સર્જનની ખાલી જગ્યા ખાલી રહેતા ઈમરજન્સી 108 માં અકસ્માતિક ઘટનામાં રાજકોટ મોરબી દર્દીઓને કરાય છે રીફરઅહેમદાવાદ મિત્ર બ્યુરો ટીમ વાંકાનેર :મોરબી જિલ્લાને પ્રમોશન તાલુકા માં થી મળ્યા બાદ નગર પાલિકામાંથી મહાનગરપાલિકા નું સ્થાન મળ્યું સમસ્યા મતદાર પ્રજાની વહી કી વહી જેવી પ્રાથમિક સુવિધા નો અભાવ ત્યારે જિલ્લામાં સમાવેશ થયેલા વાંકાનેરમાં 2015 થી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી સિવિલ હોસ્પિટલ નું સ્થાન મેળવનાર સરકારી હોસ્પિટલમાં જાણે ખાટલે મોટી ખોટ વિકાસની દોડમાં રહી હોય તેમ ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં અકસ્માત ઘટના દર્દીઓ ને સર્જન ના અભાવે રાજકોટ કે મોરબી રીફર કરવાના કારણે દર્દીઓને દર્દમાં વધુ દુખાવો જનક બન્યું છે ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં અધ્યક્ષક વર્ગ…
ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જે વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા મહાન શહીદ વીરોની સ્મૃતિમાં તારીખ ૩૦ મી જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ સહિત મોરબી જિલ્લામાં સવારના ૧૧:૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું અને સ્વદેશ માટે પોતાના અમૂલ્ય પ્રાણની આહુતિ આપનારા નામી અનામી અનેક શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરી, અધિક નિવાસી કલેકટરશ્રી એસ.જે.ખાચર, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જેટકો કચેરી, મોરબી સરકારી મેડિકલ કોલેજ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિની કચેરી સહિત ઉપસ્થિત કર્મયોગીઓએ સવારના ૧૧:૦૦ કલાકના બે મિનિટનું મૌન પાળ્યું…
બંધારણમાં આપેલ અધિકારોની સાથે આપણે આપણી ફરજો બાબતે પણ સભાન બની તેનું પાલન કરીએ રાજાશાહી વખતના સમૃદ્ધ અને સંપન્ન રજવાડા વાંકાનેરની વાત કરી કલેક્ટશ્રી આપણા વારસાનું જતન કરવા સૌને અપીલ કરી આકાશે ગૌરવશાળી તિરંગો લહેરાયો; પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલતા કલેક્ટરશ્રી મોરબીના વાંકાનેરમાં આવેલ અમરસિંહજી હાઈસ્કુલ ખાતે ૭૬ માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની અનેરા ઉત્સાહ સાથેની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કલેક્ટર શ્રી કે.બી. ઝવેરીએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું. “આઝાદ ભારતના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની ખૂબ શુભેચ્છાઓ”નુ સંબોધન કરતા જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, “આજના પાવન દિવસે જ્યારે ભારતને સાર્વભૌમત્વ પ્રાપ્ત થયું…
વાંકાનેર :પોલીસ પ્રજાનો મિત્ર છે શત્રુ નહીં તે કહેવતને સાર્થક કરતી એક નહીં અનેક પોલીસની ફરજની સાથે માનવતાભેર કામગીરી પ્રતિષ્ઠ હૃદયમાં સ્થાન પામે છે એ વાતને કોઈ સરકારનું સ્થાન નથી ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ તારીખ 23 1-2025 ના રોજ નાઈટ પેટ્રોલીંગ મા હોય એ સમય દરમિયાન અસ્થિર મગજના 28 વર્ષના વ્યક્તિને વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા કણકોટ ગામના રેલ્વે સ્ટેશન આસપાસ મળી આવેલ છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી અને નાયબ પોલીસ અધિક્ષક ની સૂચના સાથે માર્ગદર્શન સમગ્ર મોરબી જિલ્લા પોલીસ પથકમાં રહ્યું હોય જેથી પ્રજાલક્ષી કાર્યોને સ્થાન આપી ગુનાહિત પ્રવૃત્તિઓ…
“‘ફાટક નંબર 92 ચાલુ કરવા તંત્રને લેખિતમાં જાણ કરી”‘ વાંકાનેર: વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ના ખેડૂતોએ ધમાલપર ગ્રામ પંચાયત ના સરપંચને સાથે રાખી રેલવે ફાટક નંબર 92 ચાલુ રાખવા અંગે પત્ર પાઠવ્યો છે જે તારીખ 23 1 2025 ના રોજ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ ઝાલા ને સરપંચ સહિત ના અગ્રણીઓએ લેખિતમાં પત્ર આપ્યું હતું ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી( ટીડીઓ)ને આવેદનપત્ર આપી જણાવ્યું હતું ત્યાર પછી વાંકાનેર મામલતદાર અને પ્રાંત અધિકારી ધારાસભ્ય સંસદ સભ્યો ને પત્ર પાઠવી લેખિતમાં જણાવ્યું હતું કે વાંકાનેર લુણસરિયા રેલવે ફાટક નંબર 92 બંધ કરેલ છે જે ફાટક બંધ થવાથી ધમલપર સહિતના અન્ય…
સ્થાનિક રાજકીય નેતાઓની મીટીંગો સીટિંગો ચાલુ ખાટલા પાટલા બેઠક યોજાશે મતદારો પરિવર્તન લાવશે કે શું!? વાંકાનેર સીટી ન્યુઝ: સ્વરાજ્યની ચૂંટણી ની જાહેરાત સત્તાવાર થયા ની સાથે જ નગર સેવક બનવાની ખાઈશ ધરાવતા રાજકીય પાર્ટી પક્ષના નેતાઓ કોંગ્રેસ ભાજપ આપ સહિત અપક્ષો સહિતના ઉમેદવાર ઉમેદવારી નોંધાવી ત્રિ પંખીયો જંગ રાજકીય ક્ષેત્રે ચૂંટણીમાં હાલ ઠંડીની મોસમમાં માં રાજકીય ગરમાવો લાવી શકે તેવા સંકેતો રહ્યા છે કુલ વાંકાનેર નગરપાલિકાની હદમાં 1થી 7 વોર્ડ આવેલા છે તે તમામે તમામ વોર્ડમાં ચોક્કસ બહુમતી પ્રાપ્ત કરવાની ફિરાગમાં ભાજપ કોંગ્રેસ અને આપ ના રાજકીય ક્ષેત્રે પ્રયાસો સ્વાભાવિક પણે રહી શકે છે પરંતુ મતદાર પ્રજાનો મિજાજ નવું પરિવર્તન…
“‘રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતા જાહેર કરાઈ”‘ મોરબી: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૫ થી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમા મુકવામાં આવી છે. મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા વાંકાનેર નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણી યોજાશે. ઉપરાંત માળિયા(મીં) નગરપાલિકાની વોર્ડ નં.૨ તથા વોર્ડ નં.૫ માટેની પેટા ચૂંટણી યોજાશે. વાંકાનેર તાલુકા પંચાયતની ૨-ચંદ્રપુર અને ૧૨- માળિયા તાલુકા પંચાયતની ૧૨-સરવડ બેઠકો માટેની પેટા ચૂંટણી યોજાનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચાર સંહિતા સંદર્ભે સરકારી અધિકારીઓ/કર્મચારીઓની બદલી તેમજ રજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરાયેલ તારીખ…
મોરબી : જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને મેલેરિયા નિયંત્રણ અને સંકલન સમિતિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટર કચેરીના સભાખંડમાં આયોજિત આ બેઠકમાં ફોગીંગ કામગીરી, વિવિધ પ્રકારના ટેસ્ટિંગ, વિવિધ રોગચાળાની તાજેતરની પરિસ્થિતિ સહિતની ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર એ બેઠકમાં જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાના આરોગ્ય કર્મચારીઓ માટે વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવે જેથી કામગીરી વધુ સુચારુ રીતે થઈ શકે. ફોગીંગની કામગીરી વધારવા માટે જરૂર પડે નવા મશીનની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત, મેલેરિયા, ચીકનગુનીયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોને અટકાવવા નિયમિત અને સચોટ ટેસ્ટિંગ કરવામાં આવે અને પી.એચ.સી. વાઇઝ છેલ્લા ૩ વર્ષનો ડેટા તૈયાર કરવા ખાસ સૂચના આપી હતી.ઉક્ત…
વાંકાનેર શહેરના વિવિધ પ્રશ્નો મતદાર પ્રજા માટે ચિંતક રહ્યા છે તેમાં ખાસ કરી વાંકાનેર ના મુખ્ય માર્ગો પર ઉડતી ધૂળની ડમરીઓ ગંદકીના ગંજ ભૂગર્ભ ગટરો ચોકઅપ થયેલી યથાવત રહી હોય ત્યારે મિલ પ્લોટ વિસ્તારમાં મુખ્ય રોડ પર જોખમી ખાડો ભૂગર્ભ ગટરનો તંત્ર દ્વારા પ્રજા લક્ષી કે વાહનચાલકોને અકસ્માતની ઘટનાનો ભોગ બને તેની રાહ જોતો હોય તેમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે હાલ ચૂંટણી જાહેર થઈ એટલે ભાજપ કોંગ્રેસ કે આપ ના નેતાઓ નગરસેવકો બનવા માટે ઉમેદવારી 11 મહિના માટે કરી શકે છે પરંતુ મતદાર પ્રજાની સમસ્યા હલ થાય તેમાં પ્રજાના નગરસેવકો કે પ્રજાના પ્રતિનિધિઓને કાંઈ પડી ના હોય તેમ વાંકાનેર શહેરની…