કવિ: wcity

વાંકાનેર એસ.ટી. બસ ડેપો ખાતે ફરજ બજાવતા કર્મચારીઓનો નિવૃત્ત સન્માન અને વિદાય સમારોહ યોજાયો.વાંકાનેર એસ.ટી. બસ ડેપો ખાતે ફરજ બજાવતા અલગ અલગ વિભાગના 11 જેટલા કર્મચારીઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા હોય જે તમામ કર્મચારીઓનો નિવૃત્ત વિદાય અને સન્માન સમારોહ શનિવારે ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજાયો હતો, જેમાં નિવૃત્ત થતા તમામ કર્મચારીઓને સન્માનિત કરી અને તેમને નિવૃત્તિ વિદાય આપી નિવૃત્ત જીવનની શુભકામનાઓ આપવામાં આવી હતી.એસ.ટી. કર્મચારી મંડળ સંચાલિત બાપા સીતારામ ગ્રુપ અને વાંકાનેર એસ.ટી. કર્મચારી પરિવાર વાંકાનેર દ્વારા આયોજીત આ નિવૃત્ત સન્માન અને વિદાય સમારંભમાં વાંકાનેર ડેપોમાં એ.ડી.એમ ખાતે ફરજ બજાવતા મહેબૂબભાઈ લાહેજી, જલાલભાઈ બાદી‌, કિરીટસિંહ ઝાલા, એસ.ટી. ડ્રાઇવર દેવેન્દ્રભાઈ મહેતા તથા…

Read More

વાંકાનેર ખાતે તાલુકા શાળા નં-3,‌‌વાંકાનેર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં નાના-નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા માટે શાળામાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.કે.જે.દવે મેડમ તથા DIECO અધિકારી સંઘાણી સાહેબ તેમજ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી કેતનભાઈ ગોસ્વામી, હિતેશભાઈ હરમા,SMC અધ્યક્ષ હિરેનભાઇ મહેતા તથા તમામ SMC સભ્યોશ્રીઓ CRC મેરૂભાઈ તથા શાળાના આચાર્યશ્રી નજરૂદીન બાદી સાહેબ તથા સમગ્ર સ્ટાફ તેમજ આરોગ્ય સ્ટાફ તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શાળામાં બાલવાટિકા તેમજ ધોરણ-1 માં આવેલ બાળકોને કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ વર્ષ-2024 દરમિયાન શાળામાં જ્ઞાન સાધના તથા જ્ઞાનસેતુ પરિક્ષામાં મેરીટમાં આવેલ બાળકોને પણ ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ કાર્યક્રમ…

Read More

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર કારખાનામાં ઉંચાઈ પરથી નીચે પટકાતા યુવાનનું મોત…. વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સિરામિક કારખાનામાં કામ કરતો એક શ્રમિક યુવાન બીજા માળેથી નીચે પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સ્વેલ ગ્રેનાઈટો એલએલપી નામના કારખાનાની લેબર કોલોનીમાં બીજા માળે લોબીની દીવાલ ઉપર બેઠેલ મૂળ મધ્યપ્રદેશના વતની કૈલાસ શંકરલાલા ચૌહાણ (ઉ.વ. 34) નામના શ્રમિક યુવાનનું બીજા માળેથી પટકાતા મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ…

Read More

વાંકાનેરના મેસરીયા નજીક હાઇવે પર અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતાં કચરો વિણવાનું કામ કરતા આધેડનું મોત…. વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ પાસે નેશનલ હાઈવે નજીક રહી કચરો વિણવાનું કામ કરતા અને રખડતું જીવન જીવતા એક આધેડને રોડ ક્રોસ કરતી વેળાએ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરિયા નજીક કચરો વિણવાનું કામ કરી રખડતું ભટકતું જીવન જીવતા મૂળ ગોધરાના વતની ધનુબેન ભીખાભાઇ બારૈયા અને દિનેશ નામનો શ્રમિક છેલ્લા છ મહિનાથી સાથે રહેતા હોય, જેઓ ગત તા.23ના રોજ…

Read More

વાંકાનેરની ભાટીયા સોસાયટીના રહેવાશીઓની સ્થિતિ નર્કાગાર, કાદવ-કિચડના સામ્રાજ્ય વચ્ચેથી દરરોજ પસાર મજબૂર નાગરિકો…. વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટીમાં ભૂગર્ભ ગટરના કામ માટે આડેધડ ખોદકામ કરી લાઇન નાખવામાં આવતા પાણીની મુખ્યલાઈનો તૂટી જવાની સાથે રસ્તાઓની પણ પથારી ફરી ગઈ છે. આ સાથે જ ભર ચોમાસે સામાન્ય વરસાદ બાદ રોડ-રસ્તા પર કાદવ-કિચડના સામ્રાજ્ય વચ્ચેથી નાગરિકોને પસાર થતાં પડતી પારાવાર મુશ્કેલી વચ્ચે આજરોજ ગ્રામજનો દ્વારા ભાટીયા ગ્રામ પંચાયતના વહીવટદારને સમસ્યાના નિરાકરણ માટે રજુઆત કરવામાં આવી છે…. બાબતે ગ્રામજનોએ વહીવટદારને કરેલ રજુઆતમાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત દ્વારા વર્તમાન ચોમાસા દરમ્યાન મુખ્ય બજારમાં આડેધડ ખોદકામ કરી યોગ્ય સમારકામ કર્યા વિના ડ્રેનેજ કામ ચાલુ…

Read More

ચંદ્રપુર આખુ પરસેવે નીતરી ગયું અને પછી જો થઈ…!!! વાંકાનેર: સરકારી કચેરીઓમાં અત્યારે જો કોઈપણ કચેરીનો વહીવટ સાવ ખાડે ગયો હોય તો એ છે pgvcl ની કચેરી…. હજુ તો હરખું ચોમાસું જામ્યું પણ નથી અને લાઈટ દિવસમાં દસ વાર આવજા કરે છે… ખરા બપોરે કલાક બે કલાક લાઈટ જતી રહે અને જો ફોન કરીએ તો લગભગ ફોનનું રીસીવર ડબલાની નીચે મૂકી દેવામાં આવે છે. આવી લોકોની ફરિયાદ રહે છે. અને ફોન ઉપર કોઈ વ્યવસ્થિત જવાબ નથી મળતા, પીજીવીસીએલએ ઓન પેપર કરેલી પ્રિ મોનસૂન કામગીરીની પોલ હવે છતી થવા લાગી છે. વરસાદ તો હજુ આવ્યો પણ ન હોય અને માત્ર વરસાદની…

Read More

યુવતીના પિતા સહિતના ત્રણ શખ્સોએ કારમાં આવી બઘડાટી બોલાવી વાંકાનેર : વાંકાનેર શહેરના હરિપાર્ક સોસાયટીમાં યુવતીને ભગાડી જવા મામલે લુણસર ગામે રહેતા યુવતીના પિતાએ અમારી દીકરી અમને પાછી સોંપી આપો કહી બે અજાણ્યા શખ્સો સાથે મળી બઘડાટી બોલાવી યુવાનના પરિવારને બેટ વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની હરિપાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી વિષ્ણુભાઈ રમેશભાઈ જોલાપરાએ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.25ના રોજ રાત્રીના સમયે આરોપી સંજયભાઈ વસિયાણી અને તેમની સાથે કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ કહ્યું હતું કે, તમારો દીકરો મારી દીકરીને ભગાડી…

Read More

વાંકાનેર તાલુકાના નાગલપર ગામે રહેતા યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….. વાંકાનેર તાલુકાના નાગલપર ગામની સીમમાં વાડીએ રહેતા એક યુવાને કોઇ અગમ્ય કારણોસર વાડીએ ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના નાગલપર ગામની સીમમાં વાડીએ રહેતા સાગરભાઈ મૈયાભાઈ ગુંદારિયા (ઉ.વ. ૨૫) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવની વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…

Read More

વાંકાનેરના જામસર ગામ નજીક ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં ચકચાર…. વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક સીમમાં આવેલ એક ખેતરમાંથી ગતરાત્રીના એક અજાણ્યો 35 થી 40 વર્ષની ઉંમરના પુરુષોનો મૃતદેહ મળી આવતાં ચકચાર ફેલાઇ છે, જેમાં બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક આવેલ લખમણભાઈ રૂપાભાઈના મકાન પાસેના ખેતરમાંથી ગતરાત્રીના અંદાજે 35 થી 40 વર્ષની ઉંમરના એક અજાણ્યાં પુરુષની લાશ મળી આવતાં બાબતે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

Read More

વાંકાનેરના શખસએ પરિવારને મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી રાજકોટમાં નર્સિંગ યુવતી ઉપર વાંકાનેર ના શખ્સે આચર્યું દુષ્કર્મ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી રાજકોટમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી ૨૪ વર્ષીય યુવતી પર તેની સાથે જ નર્સિંગનું કામ કરતાં મોરબી પંથકના વાંકાનેર શખ્સે પરિવારને મારી નાંખવાની ધમકી આપી રાજકોટ અને અમદાવાદમાં વારંવાર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઈ છે યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ છે. શહેરની રૈયા ચોકડી નજીક રહેતી ૨૪ વર્ષીય યુવતીએ વાંકાનેરના કાનપર ગામના અર્ષદ ઈલિયાસશેરસિયા સામે યુનિવર્સિટી પોલીસમાંનોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું…

Read More