કવિ: wcity

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે ચારિત્ર્યની શંકાએ પતિનો પત્ની પર છરી વડે હુમલો…. વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે રહેતી એક પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા કરી તેના પતિએ છરી વડે હુમલો કરી કરતાં વચ્ચે છોડાવવા પડેલ દીકરીને પણ માથાફરેલ પિતાએ છરીથી ઇજા પહોંચાડતા બાબતે પિડિત મહિલાએ પતિ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે રહેતા દયાબેન કમલેશભાઇ ગોગીયા (ઉ.વ. 40) નામની પરિણીતાએ તેના પતિ કમલેશભાઈ ગોવિંદભાઈ ગોગીયા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના આરોપી પતિએ ફરિયાદી પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા કરી છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા દયાબેનની પુત્રી વચ્ચે…

Read More

વાંકાનેર શહેર નજીક નિર્મલા કોન્વેન્ટ સ્કુલ પાછળ વાડીમાંથી 56 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો…. વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે રાતીદેવરી રોડ પર આવેલ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાછળ વાડીમાં દરોડો પાડી 56 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી તેની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેર નજીક રાતીદેવરી રોડ પર નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાછળ આવેલ વિશાલભાઈ સોલંકીની વાડીમાં દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની 56 નંગ વિદેશી દારૂની બોટલો (કિંમત રૂ. 25,280) સાથે આરોપી વિશાલભાઈ રાજેશભાઈ…

Read More

વાંકાનેરના માટેલ રોડે લેબર ક્વાર્ટરમાં આગ લાગતાં દાઝી ગયેલ પાંચ પૈકીનાં વધુ બે શ્રમિકના મોત, કુલ ત્રણના મોત વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબરક્વાર્ટરમાં થોડા સમય પહેલા ગેસના બાટલામાં લીકેજ થવાના કારણેબંધ રૂમમાં ગેસ પ્રસરી ગયો હતો અને ત્યારબાદ લાઇટર કરતાની સાથેજ આગ લાગી હતી જે બનાવમાં કુલ મળીને પાંચ વ્યક્તિઓ દાઝી ગયાહતા જેથી તેને સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે ત્રણયુવાનોને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને રાજકોટખાતે સારવાર દરમિયાન વધુ બે યુવાનના મોત નીપજ્યું છે આ ઘટનામાંઅત્યાર સુધીમાં કુલ મળીને ત્રણ યુવાનોના મોત નિપજ્યાં છે. બનાવની જાણવા મળતી માહિતી મુજબ ગત…

Read More

રાજ્ય સભાસાંસદ કેસરી દેવસિંહ ઝાલા એ લીલી ઝંડી દેખાડીને વાંકાનેર સ્ટેશન પર ત્રણ સુપરફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજનું કર્યું શુભારંભ સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા આજે વાંકાનેર સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં ટ્રેન નં. 12949 પોરબંદર-સંતરાગાછી કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી વાંકાનેર સ્ટેશન પર એક સાથે ત્રણ સુપરફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજનું શુભારંભ કરવામાં આવ્યું હતું. અન્ય બે સુપરફાસ્ટ ટ્રેન કે જેને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું હતું તેમાં ટ્રેન નં. 22905 ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ટ્રેન નં. 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ શામેલ છે. કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલકુમાર ચૌબેએ સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ…

Read More

વાંકાનેર શહેર ખાતે રૂ. 4.22 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન એસ.ટી બસ સ્ટેશનનું લોકાપર્ણ કરાયું વાંકાનેર શહેર ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 422.76 લાખના ખર્ચે આત્યાધુનિક મોર્ડન સુવિધાસભર એસ.ટી બસ સ્ટેશનનું નિર્માણકરવામાંઆવ્યું હતો જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ ના વાંકાનેર બસ સ્ટેશન મુકામે બાંધવામાં આવેલ નવીન બસ સ્ટેશન નો લોકાર્પણ સમારંભ રાખવામાં કરવામા આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર મંત્રી અને ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ના માર્ગદર્શન હેઠળ હાજર રહેલ રાજ્ય સભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા ,વાંકાનેર ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી,મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી,વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી સાહેબ મોરબી…

Read More

વાંકાનેરના ધમલપર ગામે પત્નીએ ઘેનની ટીકડા પિવાની ના પાડતા લાગી આવતા યુવાને એસિડ પી મોત વ્હાલું કર્યું… વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ખાતે રહેતો એક યુવાન અવારનવાર ઘેનના ટીકડા પી લેતો હોય, જેથી તેની પત્નીને ઘેનની ગોળી નહીં લેવાનું કહેતા, આ બાબતે લાગી આવતા યુવાને જાતે એસિડ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું….બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ખાતેરહેતા વિજયભાઇ દાનજીભાઈ માણસુરીયા (ઉ.વ. ૩૫) નામનો યુવાનઅવાર-નવાર વધુ પડતાં નિંદરના ટીકડા પિતો હોય, જેથી તેમના પત્નીસુમિત્રાબેને ઘેનની ગોળીઓ નહીં લેવા કહેતા આ બાબતનુંવિજયભાઇને લાગી આવતા ગત તા. ૨૭ના રોજ…

Read More

વાંકાનેરમાં વરલીના આંકડા લેતા એક શખ્સની ૨૦,૬૧૦ ના મુદામાલ સાથે ધરપકડ: એકની શોધખોળ વાંકાનેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ ગેબી પાનની સામેના ભાગમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૦,૬૧૦ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને તે શખ્સ જેની પાસે કપાત કરાવતો હતો તેનું નામ સામે આવતા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરાઈ છે.મોરબી જિલ્લા એલસીબીની…

Read More

વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ ધર્મગુરૂ ખુર્શીદ હૈદર પીરઝાદા (મીર સાહેબ)નું દુઃખદ અવસાન… વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું આજે સાંજે દુઃખદ અવસાન થયું છે,

Read More

વાંકાનેર તાલુકાના અદેપર ગામે પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન વાંકાનેર તાલુકાના અદેપર ગામે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ – મોરબી સંચાલિત શ્રી જયંતિલાલ જેઠાલાલ દોશી પ્રાથમિક શાળાના નવા આધુનિક બિલ્ડિંગનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર, જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમસ્ત અદેપર ગામ લોકોની હાજરીમાં “લાઇફ પ્રોજેક્ટ” ના ટ્રસ્ટીઓ અને દોશી પરિવાર દ્વારા કરવામાં આવ્યું. શિક્ષણને જાગૃત કરવા હર હંમેશ તત્પર રહેતા તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરે “લાઈફ પ્રોજેકટ”ના તમામ દાતાશ્રીઓ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. સાથો સાથ સમસ્ત અદેપર ગામ લોકોની હાજરીમાં મતદાન જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો.

Read More

વાંકાનેરના માટેલ રોડ પર સિરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં ગેસ લીકેજથી આગ ભભુકી ઉઠી, પાંચ ઇજાગ્રસ્ત…. વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા સિરામીક નામનાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં આજે સવારે અચાનક ગેસ સિલિન્ડરમાં નળી લિકેજ થતાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, જેમાં કુલ પાંચ જેટલા મજુરોને ઈજાઓ પહોંચી હતી, જેથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે….બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા સિરામીક નામનાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં આજે સવારે રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં નળી લિકેજ થતાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, જેમાં આશિષ બંજારા (ઉ.વ. ૧૯), રાહુલભાઈ કુશવાહ…

Read More