વાંકાનેરમાં પરસોતમ રૂપાલાની સભા પૂર્વે વિરોધ, સરધારકા ગામે ગામમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવારપરસોતમભાઇ રૂપાલાની સભા પૂર્વે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનકરી સુત્રેચાર કરવામાં આવ્યા હતા.વાંકાનેરના કુંભારપરાથી સિંધાવદરદરવાજા સુધી રૂપાલા હાય હાયના નારા સાથે વિરોધ કરવામાં આવ્યોહતો.ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ વિશે અગાઉ પરસોતમ રૂપાલાએકરેલી ટિપ્પણીની સામે વિરોધ વ્યક્ત કરવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુહતુ.વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળેલા ક્ષત્રિય સમાજના અગ્રણીઓનીવાંકાનેર પોલીસે ડિટેઇન કર્યા હતા.ઉલ્લેખનીય છે કે વિરોધ વ્યક્ત કરવાછતાં પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતા હવે ઉગ્ર આંદોલન શરૂથયું છે.વાંકાનેર માર્કેટ ચોકમાં ભાજપનાં લોકસભા કાર્યાલય ઉદઘાટનમાટે પરસોતમ રૂપાલા આવવાંના થોડા સમય પહેલા જ વિરોધ પ્રદર્શનકરાયુ હતુ.તેમજ વાંકાનેરના જ…
કવિ: wcity
વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર ભાડાની ઉઘરાણી બાબતે પિતા-પુત્રએ વૃદ્ધ પર હુમલો કર્યો વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર આવેલ પ્રગતિ કોમ્પલેક્ષમાં રહેતા એક વૃદ્ધનો પુત્ર કોમ્પલેક્ષમાં ભાડું ઉઘરાવતો હોય, જેમાં ભાડાંની ઉઘરાણી બાબતે સારૂં નહીં લાગતાં કોમ્પલેક્ષમાં રહેતા પિતા-પુત્રએ વૃદ્ધ પર ધોકા વડે હુમલો કરી માર મારી ટાંટીયા ભાંગી નાખ્યા હતા, જેથી આ મામલે પોલીસે વૃદ્ધની ફરિયાદ પરથી આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….વાંકાનેર શહેરના સિટી સ્ટેશન રોડ પર આવેલ પ્રગતિ કોમ્પલેક્ષમાં રહેતા ફરિયાદી રાજેશભાઈ સદરૂદ્દીનભાઈ સોમાણી (ઉ.વ. ૫૭) એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી અમીનભાઈ રફીકભાઈ દાદવાણી અને સૈફભાઈ અમીનભાઈ દાદવાણી (રહે. બંને પ્રગતિ કોમ્પલેક્ષ,…
.વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે શહેરના મિલપ્લોટ વિસ્તારમાં ડબલચાલી બજારમાં દરોડો પાડી એક શખ્સને જાહેરમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમી-રમાડતા રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…..બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા શહેરના મિલપ્લોટમાં આવેલ ડબલચાલી બજારમાંથી આરોપી પ્રવીણભાઈ ઉર્ફે મિથુન ભાણજીભાઈ કુણપરા(ઉ.વ. ૪૯, રહે. ડબલચાલી, મિલપ્લોટ, વાંકાનેર)ને જાહેરમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમી-રમાડતા રોકડ રકમ તથા મોબાઇલ સહિત કુલ રૂ. 5230ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેરના ઢુવા નજીક આર્થિક સંકડામણ તથા ઘર કંકાસથી કંટાળી યુવાને ટ્રેન હેઠળ પડતું મુકી જીવન ટૂંકાવ્યું…. વાંકાનેર તાલુકાના માટેલ ગામના વતની અને હાલ ઢુવા ગામે મંદિર ખાતે રહેતા એક યુવાને આર્થિક સંકડામણ અને ઘર કંકાસથી કંટાળી ગઈકાલે ઢુવા નજીકથી પસાર થતી ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામના વતની અને હાલમાં ઢુવા ગામે ખોડિયાર માતાજીના મંદિરે રહેતા ધર્મેન્દ્રભાઇ ઉર્ફે કાળુ ભીમજીભાઇ મકવાણા (ઉ.વ. 38)નામના યુવાને ગઇકાલે આર્થિક સંકળામણ અને ઘર કંકાસથી કંટાળી જઈ ઢુવા ખાતે અમૃત…
વાંકાનેર : ગામના અવેડે પાણી ભરવા બાબતે થયેલ બોલાચાલીમાં યુવતી પર એક શખ્સનો હુમલો….. વાંકાનેરના ખંભારાપરા ખાતે રહેતી એક યુવતી ગામના અવેડે પિવાનું પાણી ભરવા ગયેલ હોય, જેમાં અગાઉ પણ પાણી ભરવા બાબતે આરોપી સાથે બોલાચાલી થયેલ હોય, જેનો ખાર રાખી એક શખ્સએ યુવતી પર લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારતાં બાબતે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ખંભારા પરા ખાતે રહેતા ફરિયાદી ડાલીબેન લક્ષ્મણભાઇ ફાંગલીયા (ઉ.વ. 21)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાના ઘર નજીક આવેલ અવેડામાં પીવાનું પાણી ભરવા ગયેલ હોય, જેમાં આરોપી તેજાભાઈ જીવણભાઈ ગમારા (રહે. ખંભારા પરા,…
વાંકાનેરના લુણસરીયા રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન હેઠળ પડતું મુકી યુવાનનો આપઘાત…. વાંકાનેર તાલુકાના લુણસરીયા રેલ્વે સ્ટેશન નજીક ગઇકાલે બાર વાગ્યાની આસપાસ અહીંથી પસાર થતી ટ્રેન હેઠળ પડતું મુકી 22 વર્ષિય યુવાને આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા રેલ્વે સ્ટેશન નજીક ગઇકાલે બાર વાગ્યાની આસપાસ કરણ રાજેશભાઈ કોળી (રહે. દિગ્વિજયનગર, પેડક, વાંકાનેર) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર અહીંથી પસાર થતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નં. 15054 હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે નોંધ કરી બનાવની વધુ તપાસ…
LOKSABHA ELECTION 2024: એવું શું થયું કે વડોદરામાં ઉમેદવાર જાતે જ જૂતા નો હાર પહેરી ઉમેદવારી નોંધાવા પહોંચ્યા ? જાણો વિગતઅતુલ ગામેચી નામના અપક્ષ ઉમેદવાર ગળામાં ફૂલોના હારને બદલે જૂતાનો હાર પહેરીને વડોદરા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. અતુલ ગામેચીના આ કારનામાંથી તે સતત ચર્ચામાં આવ્યા છે. લોકસભા સભાની ચૂંટણીને લઈ હવે ગણતરીના દિવસો જ બાકી છે. દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. ત્યારે ત્રીજા તબક્કા માટે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. જેણે લઈ મોટા ભાગના ઉમેદવારો પોતાનું નામાંકન દાખલ કરી ચૂક્યા છે. કોઈ ઉમેદવાર રોડ શો કરી ઉમેદવારી ફોર્મ ભર્યું.…
વાંકાનેરના ઢુવા નજીક હાઇવે પર રોંગ સાઈડમાં આવતા ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતાં યુવાનનું મોત માટેલ મંદિરે દર્શન કરી પરત ફરતાં યુવાનના બાઇકને નડ્યો અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક નેશનલ હાઈવે પર ઓવરબ્રીજથી આગળ મોરબી તરફ સનકોર ટાઇલ્સના નવા બનતા શોરૂમ સામે રોંગ સાઈડમાં એક ડમ્પર ચાલકે માટેલ મંદિરે દર્શન કરી પરત ફરતાં ડબલ સવારી બાઇકને હડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાનને પણ ઇજાઓ પહોંચી હતી, જેથી આ મામલે ડમ્પર ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે… બનાવની પ્રાપ્ત વિગતો…
સ્પોર્ટ્સ એક્ટીવીટી, સ્કીલ એક્ટીવીટી તથા એજ્યુકેશનલ એક્ટીવી સાથે દરેક ઉંમરના લોકો માટે સમર કેમ્પ યોજાશે વાંકાનેર શહેર ખાતે સૌપ્રથમ વખત મોરબી જિલ્લાના સુપ્રસિદ્ધ ટ્રેનર મનીષ સર દ્વારા નાનાં બાળકોથી માંડી મોટી ઉંમર સુધીના દરેક લોકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇન્ડોર/આઉટ ડોર ગેમ સાથે સ્પોર્ટ્સ એક્ટીવીટી, સ્કીલ એક્ટીવીટી તથા એજ્યુકેશનલ એક્ટીવી સાથે આગામી તા. 23 એપ્રિલથી 15 મે સુધી આ સમર કેમ્પ વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કુલના ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જેના માટે દરેક લોકોએ તા. 20 એપ્રિલ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે….
CM નિવાસસ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બંધ બારણે બેઠક શરૂ, રાજકોટ બેઠક અંગે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર સાથે બેઠક પહેલાં રાજપૂત સંકલન સમિતિના તમામ મુખ્ય આગેવાનોની અમદાવાદના ગોતામાં રાજપૂત ભવન ખાતે મહત્વની બેઠક મળી હતી. લગભગ 2.30 કલાક સુધી ક્ષત્રિય આગેવાનોની બેઠક ચાલી હતી. જો કે, હાલ રાજપૂત સંકલન સમિતિ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી છે.લોકસભાની ચૂંટણીને લઈ રાજકોટની બેઠક માટે મહત્વની રાત બનતી લાગી રહી છે. આજે રાજકોટ બેઠક માટે કતલની રાત ગણાઈ શકે છે. રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલાને લઈને ચાલી રહેલા વિવાદ અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. હાલમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજની સંકલન…