મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં જઈ રહેલા બાઈકને ડમ્પર ચાલકે હડફેટે લેતા બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા.જેને પગલે બનાવ બાદ ભાગી છૂટેલા ડમ્પર ચાલકને પકડવા તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. મોરબીના સામાકાંઠે માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે મોડીરાત્રીના વાહન અકસ્માતનો ગોજારો બનાવ સર્જાયો હતો જેમાં ડબલ સવારીમાં જઈ રહેલા બે યુવાનોને ડમ્પર નંબર જીજે ૧૨ બીટી ૭૭૯૪ ના ચાલકે હેડફેટ લીધા હતા જે બનાવમાં હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈકમાં જઇ રહેલા સંજય દિનેશભાઈ સનુરા કોળી…
કવિ: wcity
વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા ચોકડી પાસેથી ચોરાઉ રિક્ષા સાથે રીઢા ચોરને દબોચ્યો વાંકાનેર તાલુકા પોલીસે અગાઉ રાજકોટ, જામનગર, મોરબી જિલ્લાના ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારને ચોરી કરલ રીક્ષા સાથે ઝડપી લીધેલ છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ વાંકાનેર તાલુકાનાં પીએસઆઈ બી.પી.સોનારા અને તેની ટીમ કામ કરી રહી છે ત્યારે વાંકાનેરની ઢુવા ચોકડીએ વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બજાજ કંપનીની મેક્સીમા મોડલની સી.એન.જી. રીક્ષા નંબર જીજે ૩ બિયું ૫૭૫૧ નિકળતા તેને રોકીને ચેક કરતા રીક્ષા ચાલકનું નામ જીતેન્દ્ર ઉર્ફે જીત ગોવીંદભાઇ પરમાર જાતે અનુજાતી (૨૪) રહે હાલ રખડતો ભટકતો મૂળ…
રાજકોટ શહેરની ભાગોળે આસોપાલવ સોસાયટીમાં રહેતા અને બેડી યાર્ડમાં વેપાર કરતાં યુવકે પડધરીના ખજૂરડી ડેમમાં પડતું મૂકી જીવનનો અંત આણી લીધો હતો. આર્થિક સંકડામણથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. કોઠારિયા ચોકડી પાસેની આસોપાલવ સોસાયટીમાં રહેતો સાગર સુરેશભાઇ પીપળિયા (ઉ.વ.27) મંગળવારે સવારે નિત્યક્રમ મુજબ વેપારના કામે બેડી યાર્ડે ગયો હતો અને ત્યાંથી બાઇક લઇને પડધરીના ખજૂરડી પહોંચ્યો હતો. ખજૂરડીમાં તેના સુરાપુરાની ડેરીએ દર્શન કરી ખજૂરડી ડેમે જઇ બાઇક, પર્સ અને બેગ કાંઠે મૂકી ડેમમાં ઝંપલાવી લીધું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા અને જાણ કરાતા પડધરી પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસ પહોંચી ત્યારે…
વાંકાનેરમાં લક્ષ્મી ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર શહેરમાં સરકારી હોસ્પિટલ સામેના ભાગમાં આવેલ ગેસ્ટ હાઉસના સંચાલકે ત્યાં આવેલા પ્રવાસીની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરી ન હતી જેથી કરીને તેની સામે જાહેરનામાના ભાંગની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર બહારથી આવતા લોકોની હોટલ, રેસ્ટોરન્ટમાં નોંધણી રાખવામાં આવે તેના માટે થઈને થોડા સમય પહેલા અધિક કલેક્ટર દ્વારા પથિક સોફ્ટવેરમાં પ્રવાસીની નોંધ કરવા માટે થઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમ છતાં પણ ઘણા બધા હોટલ, રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસના સંચાલકો દ્વારા પથિક સોફ્ટવેરમાં ત્યાં આવતા પ્રવાસીઓની નોંધ કરવામાં…
વાંકાનેર તાલુકાના તીથવાથી કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી આધેડ પોતાનું ડબલ સવારી બાઈક લઈને જતા હતા ત્યારે માલધારીના ઘેટાને બાઈક અથડાયું હતું જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા માલધારી અને તેની સાથે રહેલા શખ્સો દ્વારા લાકડી અને પાઇપ પડે આધેડ અને તેની સાથે રહેલ વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો તથા પથ્થરના છૂટા ઘા કરીને ઈજાઓ કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા પછી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવતા પોલીસે રાઇટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા અને ખેતી કામ કરતા…
કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં છેલ્લા ૨૪ વર્ષથી નાસતા-ફરતા આરોપી પોતાના ગામ હોવાની મળેલી ચોક્કસ હકિકતના આધારે સ્થળ પર તપાસ કરતા આરોપી સમસું ભાવસિંગ પરમાર અને ભોગબનનાર સાથે ગરબાડા ખાતેથી ઝડપી પાડ્યા હતા.છેલ્લા ૨૪ વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી સમસુ ભાવસીંગ પરમારને ઝડપી પાડવામાં રાજકોટ રેન્જ પોલીસ અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા SP જયપાલસિંહ રાઠોડ રાજકોટ રૂરલ એલ.સી.બી PI વી.વી.ઓડેદરા, PSI ડી.પી.ઝાલા, ASI મહમદભાઇ ચૌહાણ, મહેન્દ્રસિંહ સોલંકી, અબ્બાસભાઈ ભારમલ, હિતેશભાઈ હમીરપરા સહિત ના સ્ટાફે ઝડપી કાયદેસરની કાર્યવાહી .હાથ ધરવામાં આવી હતી.
એકાદ મહિનાથી હિંસાની આગમાં લપેટાયેલા મણીપુરમાં વધુ એક દર્દનાક-હૃદયદ્રાવક ઘટનાક્રમ બન્યો હોય તેમ તોફાનીઓએ ત્રણ લોકોને જીવતા સળગાવી દીધા હતા. ઈમ્ફાલમાં તોફાન-ગોળીબાર દરમ્યાન આઠ વર્ષના માસુમ બાળકને માથામાં ગોળી વાગતા માતા તથા અન્ય એક સંબંધી એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પીટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એકાએક ટોળુ ઘસી આવ્યુ હતું. એમ્બ્યુલન્સને રોકીને તેને સળગાવી દેવામાં આવી હતી. તેમાં સવાર માતા-પુત્ર સહીત ત્રણેય લોકો જીવતા ભુંજાઈ ગયા હતા.સુરક્ષા સુત્રોએ કહ્યું કે હિંસાખોરીને પગલે આ ત્રણેય લોકો આસામ રાઈફલ્સની રાહત છાવણીમાં જ રહેતા હતા. રવિવારે સાંજે એકાએક તોફાન શરૂ થયા હતા. 8 વર્ષનો બાળક રાહત કેમ્પમાં જ હતો. છતા માથામાં ગોળી…
યુપીમાં વધુ એક ગેંગસ્ટરનો ખાતમો થયો છે. લખનઉના વજીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુખ્તાર અંસારી નજીકના સાથી સંજીવ જીવાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. વકીલોના ડ્રેસમાં આવેલા હુમલાખોરે ધડાધડ ગોળીઓ ચલાવતાં સંજીવ માહેશ્વરી ઉર્ફ જીવા કોર્ટ પરિસરમાં માર્યો ગયો હતો. હુમલાખોરના ગોળીબારમાં બીજા લોકો અને બાળકીને પણ ગોળી વાગી હતી. બાળકીનું મોત થયું હોવાનું પણ કહેવાય છે. આ ઘટનાથી ખળભળી ઉઠેલા વકીલો કોર્ટ પરિસરમાં પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. સંજીવ જીવા ભાજપના નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાનો આરોપી હતો. આ ઉપરાંત તે બીજા ઘણા કેસોમાં આરોપી હતો. પશ્ચિમ ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા હતો. સંજીવ જીવા પશ્ચિમ યુપીના મુઝફ્ફરનગરનો રહેવાસી હતો.…
ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અનેક સ્તરે ભૂલોની તપાસ થવાની છે, આવી સ્થિતિમાં રેલવે દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, છતાં સીબીઆઈ પોતાના સ્તરે અલગથી તપાસ કરશે. નવી દિલ્હી. કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે રાત્રે ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિમી આગળ એક મોટો અકસ્માત થયો હતો . આ દરમિયાન ત્રણ ટ્રેનો અથડાઈ હતી. છેલ્લા 2 દાયકામાં ભારતીય રેલ્વેનો આ સૌથી મોટો અકસ્માત છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે, જ્યારે 1 હજારથી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ સમગ્ર મામલાની તપાસની જવાબદારી સીબીઆઈએ લીધી છે. સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓમાંથી એક જ આ ઘટનાના તળિયે…
આવતીકાલથી શરુ થનારી રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાની મોનેટરી પોલીસી કમીટીની બેઠકમાં વ્યાજદર વધારા અંગે નિર્ણય લેવાશે અને નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જે રીતે ફુગાવાની સ્થિતિ નીચી આવી છે તે જોતા રિઝર્વ બેંક વધુ એક વખત વ્યાજદર વધારા-ઘટાડાનો નિર્ણય સ્થગીત રાખે તેવી શકયતા છે. એક તરફ સીસ્ટમમાં લીકવીડીટી વધી રહી છે. ખાસ કરીને રૂા.2000ની ચલણી નોટો બેંકોમાં જમા થવા લાગતા બેંકો પાસે પણ રોકડ વધી છે તો બીજી તરફ બેંકોમાં એકસચેંજ થતી રૂા.2000ની ચલણી નોટોની સામે નાની નોટો આવતા તે બજારમાં આવી રહી છે અને હાલ રિઝર્વ બેંક વધુ બે માસ સુધી પરીસ્થિતિની સમીક્ષામાં વ્યાજદર યથાવત રાખે તેવી ધારણા છે. છ સભ્યોની…