વાંકાનેરમાં અમરસિંહજી હાઇસ્કુલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અંદાજિત ૭૦૦ જેટલા ખેડૂતો સહભાગી બન્યા
કવિ: aarif diwan
મોરબીનાં ગોર ખીજડીયા ગામે મહાનુભાવો, કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું “સરકારના અથાગ પ્રયાસોથી મોરબીને નર્મદાનું પાણી મળતા અનેક વિસ્તારમાં ઉજ્જડ જમીન આજે નંદનવન બની છે” ખેડૂતોને ટ્રેકટર ઓપરેટર સ્પ્રેયર, તાર ફેન્સીંગ, લેસર લેન્ડ લેવલર અને ટ્રેકટર સહિતની ૭ લાખથી વધુની સાધન સહાય અર્પણ કરાઈ મોરબી જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ગોર ખીજડીયા ખાતે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૪ નો શુભારંભ કરવામાં આવીયો હતો સમગ્ર રાજ્યમાં ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે, આધુનિક કૃષિ ટેકનોલોજી અંગે માર્ગદર્શન તથા ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ અંગે માહિતી મળી રહે તે હેતુસર ૦૬ અને ૦૭…
વાંકાનેર પંથકમાં કાકા ની છાપ ધરાવતા કાયદા નિષ્ણાંત એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલા ઉર્ફે કનુકાકા જે ભાજપ તાલુકા લીગલ સેલ ના પ્રમુખ અને નરેન્દ્ર મોદી વિચાર મંચ માં મોરબી જિલ્લાના પ્રમુખ એવા વાંકાનેર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ જે ભાયાતી જાંબુડીયા ના વતની હાલ કર્મભૂમિ વાંકાનેર માં મિત્ર સ્વભાવી અને બહોળો મિત્ર વર્ગ હોવાથી તેની સેવાકીય પ્રવૃતિ સાથે સર્વ સમાજમાં શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે આગવી ઓળખ ઉભી કરી છે જે બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલ માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેમની વાંકાનેર તાલુકા કોર્ટ ખાતે મીડિયેટર તરીકે વિશેષ સેવા આપી રહ્યા છે જેનો તારીખ 6 12 2024 ના રોજ જન્મદિવસ હોવાથી…
આરોગ્ય વિભાગના ૬૦૦ કર્મચારીઓની ટીમ દ્વારા જિલ્લાના હાઈરિસ્ક વિસ્તારના ૦ થી ૫ વર્ષના કુલ ૩૭૪૮૭ બાળકોને ટીપા પીવડાવાશે મોરબી જિલ્લામાં આગામી તા. ૦૮ થી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન પોલિયો ઝુંબેશ યોજવામાં આવનાર છે. જિલ્લાના હાઈરિસ્ક વિસ્તાર જેવા કે, ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને મોરબી શહેર સ્લમ વિસ્તારના ૦ થી ૦૫ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે. આ ઝુંબેશ દરમિયાન મોરબી જિલ્લાના ૦ થી ૫ વર્ષના કુલ ૩૭૪૮૭ બાળકોને જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોલિયો ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ૧૫૦ બુથ ઉપર પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. બીજા અને ત્રીજા દિવસે ૩૦૦ આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા બાકી રહી ગયેલ…
વાંકાનેર ફાયરીંગ બટ ખાતે પશ્ચિમ રેલ્વે અમદાવાદ યુનિટના પશ્ચિમ રેલ્વે, રાજકોટ સબ ડિવીઝનના પોલીસ અધિકારી/કર્મચારીઓની વર્ષ-૨૦૨૪ ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તારીખ ૧૬/૧૨/૨૦૨૪ અને ૨૦/૧૨/૨૦૨૪ સુધી કુલ ૫ દિવસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તારીખ ૧૬/૧૨/૨૦૨૪ અને ૨૦/૧૨/૨૦૨૪ સુધી કુલ ૫ દિવસ જાહેર જનતાને પ્રવેશવું નહીં,…
વ્યક્તિ અંગે કોઈ જાણ કે માહિતી મળે તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની તારીખ ૧૪/૦૬/૨૦૨૪ ની ગુમશુદા નોંધ અનુસાર સરમણભાઇ પ્રભાતભાઇ રાઠોડ, જાતે આહિર,ઉંમર – ૨૬, રહે મોરબી, ફ્લોરાની બાજુમાં, રોયલ પાર્ક સોસાયટી, મૂળ રહે ગામ- અજીતગઢ, તાલુકો- હળવદ, જિલ્લો- મોરબી. જે ગઈ તારીખ ૧૦/૦૬/૨૦૨૪ ના બપોરના ૦૧:૦૦ વાગે ઘરે થી કોઈને કહયા વગર જતા રહ્યા છે અને શોધખોળ કરવા છતા મળ્યા નથી.જેમના અંગે કાંઈ જાણ કે માહિતી મળે તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નંબર 02822 242651, મોરબી કંટ્રોલરૂમના નંબર 02822 243878 પર અથવા તપાસ કરનાર પો.હેડ.કોન્સ વી.કે. ચાવડાના…
મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા અને મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ ની આગેવાની હેઠળ મોરબી જિલ્લા ટીમ તથા કાર્યકરો દ્વારા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. હિન્દુઓ વસુદેવ કુટુંબ ની ભાવનાથી દરેક જગ્યાએ વસવાટ કરે છે અને ભાઈચારાની ભાવના રાખે છે ત્યારે બાંગ્લાદેશમાં હીન્દુઓ પર અમાનુષી હત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને હિન્દુઓ ના મંદિર ને નુકસાન પહોંચાડે છે અને બાંગલાદેશની સરકાર અપરાધ રોકવાને બદલે હિંદુ સાધુ સંતોની ધરપકડ કરી રહી છે અને લોકોને હિંદુ વિરોધ ભડકાવી રહી છે ત્યારે બાંગ્લાદેશમાં વસતાં હિન્દુઓ ને બહુમતી ધરાવતા આપણા દેશ પાસે ઘણી આશાઓ છે છતાં ભાજપની કેન્દ્ર સરકાર નક્કર પગલા…
“‘અરબી ઉર્દુ ગુજરાતી અંગ્રેજી મા અભ્યાસ કરતા બાળકોને ઇનામ વિતરણ કરાયું: પીએસઆઇ ડી.વી. કાનાણીએ મહિલા અને બાળ સુરક્ષા સાથે સાઇબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપ્યું”‘ વાંકાનેર ખાતે અહીં આવેલ મોમિન શેરી પાસે ના સુન્ની મોમીન મુસ્લિમ સમાજના મદ્રાસામાં વાર્ષિક તેજસ્વી તારલા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં દીન દુનિયાવી અરબી ઉર્દુ મદ્રાસામાં ઈસ્લામી જ્ઞાન પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સાથોસાથ શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે મોબાઈલથી દૂર રહેવા વાંકાનેર સીટી પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.વી. કાનાણી એ ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે શિક્ષણ તરફ વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરી આજના આધુનિક યુગમાં…
વાંકાનેર પોલીસ ટ્રાફિક અને દારૂ ના ધંધાથીઓ પર દરોડા પાડવાની ઝુંબેશ કડક કરી! વાંકાનેર શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવાના પ્રયાસો ફરજ ના ભાગે પોલીસે સતત ત્રીજા દિવસે પણ કાયદા તોડ વાહન ચાલકો સામે કાયદાનું શાસ્ત્ર ઉગાવી દીધું હોય જેથી કાયદા તોડ વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના અંતર્ગત નાયબ પોલીસ અધ્યક્ષ ના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ધેલા અને તેની ટીમ ના પી.એસ.આઇ વી. કે. મહેશ્વરી પીએસઆઇ ડી.વી. કાનાણી સહિત ટ્રાફિક પોલીસ અને ડી સ્ટાફ વગેરે પોલીસ કાફલા એ વાંકાનેર શહેર પોલીસની હદમાં ફરજના ભાગે એલર્ટ થયા છે જેથી દેશી દારૂ ના…
મોરબી તાલુકા ના માળિયા વનાળીયા ગ્રામ પંચાયત હદમાં આવેલા વિસ્તારોમાં વર્ષોથી વસવાટ કરતા 25 જેટલા અરજદારોએ પોતાના આધાર કાર્ડ સાથે ઘરનું ઘર સરકાર દ્વારા આપે તેવી માંગણી કરી છે જેમાં માળિયા વનાળીયા ગ્રામ પંચાયત ની હદમાં આવેલા ન્યુ ત્રાજપર વિસ્તારના 25 જેટલા લોકોએ પોતાના નામ જોગ આધારકાર્ડ સાથે માળીયા વનાળી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સમક્ષ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેકટર ને સંબોધીને પત્ર લખ્યો છે જેમાં ચીફ ઓફિસરને પણ નકલ રવાના કરવાનું જણાવ્યું છે તે આવેદનપત્રમાં આપેલી વિગત એવી છે કે ઘરવિહોણા પરિવારો દ્વારા ઘરના ઘરની આવાસ યોજના સરકારની ઘરનું ઘર યોજનામાં સમાવેશ કરી સર્વે ઘરવિહોણાને ઘરનું ઘર મળે એવી…