
સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદના કારણે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા સાથે રોડ રસ્તા પર ફરી વળેલા પાણી એ ભારે હાલાકી સર્જન પામી હોય જેથી સેવકો દ્વારા સેવાની સેવા કાર્ય ચાલુ વરસાદમાં પણ સેવા કરતા સૈનિકો ની જોવા મળી રહી છે ત્યારે વાંકાનેર મોરબી પંથકના વરસાદ અને ડેમના દરવાજા ખોલતા મચ્છુ નદીના પાણી માળીયા મીયાણા પંથકમાં ફરી વળતા ભારે હાલાકી માળીયા મીયાણા પંથકમાં લોકો માટે રહી હોય ત્યારે દાવતે ઈસ્લામી ઇન્ડિયાના સબ ડિપાર્ટમેન્ટ ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન(GNRF) દ્વારા જરૂરત મંદોને તત્કાલ મદદે સંકટ સમયે કુદરતી આપત્તિ જનક ઘટનામાં આપવામાં આવે છે ત્યારે ગત 28&29/08/2024 ના રોજ,મોરબી જિલ્લા ના માળીયા તથા આજુબાજુના ગામડાઓમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનું કારણ બન્યું છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં ઘેરાયેલા છે. દાવતે ઈસ્લામી ઈન્ડિયાના સબ ડિપાર્ટમેન્ટ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન (GNRF) દ્વારા તરત જ રાહતના પગલાં લેવામાં આવ્યા છે જરૂરતમંદ લોકો સુધી તાત્કાલિક મદદ માટે GNRF ની ટીમે માળીયા તથા આજુબાજુના ગામડાઓમાં રહેઠાણ કરી રહેલા ફસાયેલા લોકોને ખોરાક પહોંચાડવાનું કાર્ય કર્યું.આ કામગીરીમાં GNRFના વોલન્ટિયર્સનો મહત્વનો ફાળો રહ્યો છે, અને આ ટીમે આગળ પણ સતત આ પ્રકારની રાહત પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપવા માટે તત્પર રહેવાની જાહેરાત કરી છે. GNRF દ્વારા રાષ્ટ્રીય સ્તરે આવી વિકટ પરિસ્થિતિઓમાં સહાય આપવાનું કાર્ય સતત ચાલુ રહેશે.

