
વાંકાનેર તાલુકામાં ઢુવા નજીક આવેલ ફ્રિડમ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મહિલાએ કોઈ કારણોસર લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.આ બાબતે તપાસ અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતકને બુટી લેવી હતી અને મજૂરી કામ કર્યા બાદ જે પૈસા એકત્રિત થયા હતા તે પૈસા મૃતક મહિલાના પતિએ પોતાના વતનમાં પોતાના પરિવારને ટ્રેક્ટર લેવા માટે જોતા હોય ત્યાં મોકલ્યા હતા.જ્યારે મૃતક મહિલાને તે પૈસા માંથી બુટી ખરીદવી હતી આ બાબતે થયેલી સામાન્ય તકરાર બોલાચાલીમાં મૃતક મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે..! આજના સમયમાં પરિવાર કરતાં પોતાને વધુ મહત્વ આપતા વલણના લીધે આવા બનાવો દિનપ્રતિદિન વધતા જાય છે.બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ ફ્રીડમ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સીતારામભાઈ સંઘાનીયાના પત્ની પૂરીબેન (ઉમર ૨૮) એ લેબર કવાર્ટરની અંદર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજ્યુ હતું અને તેના ડેડબોડીને વાંકાનેર ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે આ બનાવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી.ઝાલા આગળની ચલાવી રહ્યા છે.