નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસ.ટી. વિભાગમાં અલગ અલગ જગ્યા માટે ૩૪૦૦ થી વધુ ભરતી કરવામાં આવશે. એસટી બસમાં ૨૧૦૦ જગ્યા ડ્રાઈવર સમકક્ષની ભરતી કરાશે, જ્યારે ૧૩૦૦ જગ્યાઓ કંડક્ટર કક્ષાએ ભરતી કરાશે. એટલું જ નહીં, ગુજરાત એસટી વિભાગમાં મિકેનિકની પણ ભરતી કરાશે.ગુજરાત એસટી વિભાગમાં આટલા મોટા પ્રમાણમાં ભરતી માટે આગામી દિવસોમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં એસ.ટી નિગમ દ્વારા ડ્રાઈવરની કક્ષા માટે અંદાજિત ૨૧૦૦, કંડક્ટરની કક્ષા માટે અંદાજિત ૧૩૦૦ તથા મિકેનિકની કક્ષા માટે ઉમેદવારોની ભરતી કરવા જઈ રહી છે. જેની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.આ પહેલા ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે ગુજરાતમાં ટૂંક સમયમાં ૫૦૦ કે ૧૦૦૦ નહીં પરંતુ ૬૦૦૦ પદો પર બમ્પર ભરતી કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. હસમુખ પટેલે જણાવ્યું હતુ કે, મહેસૂલ વિભાગ અંતર્ગત ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરાશે. આ માટે સપ્ટેમ્બર મહિનામાં પ્રિલિમનરી પરીક્ષા લેવાઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે આ પરીક્ષા નવી પરીક્ષા પદ્ધતિ મુજબ લેવાશે.મહત્વનું છે કે ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે. સરકારી વર્ગ 3ની ભરતી પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે હેડ ક્લાર્ક, સિનિયર કલાર્ક તેમજ જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા માટેના નવા નિયમોની જાહેરાત કરી છે. બે તબક્કામાં પરીક્ષા યોજાશે. પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષાનો અને દ્વિતીય તબક્કો મુખ્ય પરીક્ષાનો રહેશે.
શુક્રવાર, એપ્રિલ 18
Latest News
- ધોરાજી નગરપાલિકાના મહિલા પ્રમુખ સોનલ બારોટે આપ્યું રાજીનામું
- મોરબી માસુમ ત્રણ વર્ષની મન્નત લીંગરીયા એ પ્રથમ રોજુ રાખી ખુદાની બંદગી કરી
- બ્રેકિંગ અમદાવાદ : કેડિલા કંપનીમાં કામ કરતાં ત્રણ કર્મચારી અચાનક ઢળી પડયા, એકનું મોત
- પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
- યુપીમાં ભાજપ મુસ્લિમોને આપશે ‘સૌગત-એ-મોદી’, ઈદ પર 32 લાખ લોકો સુધી પહોંચવાની યોજના
- અમદાવાદમાં ગંભીર ગુના સાથે સંકળાયેલી 10 જેટલી ગેંગ સક્રિય, DGના આદેશ બાદ યાદી તૈયાર
- રાજકોટમાં વડાળી ગામે યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
- વાંકાનેર નગરપાલિકાના સાત વોર્ડની ફેરરચના કરી નવ વોર્ડ બનાવો, 26 વિસ્તારોને નગરપાલિકામાં સમાવિષ્ઠ કરવા માંગ
- વાંકાનેર ના હસનપર ગામ પંચાયત દ્વારા સર્વે ગ્રામજનો સમક્ષ સ્વચ્છતા જાળવવા ની સાથે સમયસર વેરા ભરીને રળિયામણું ગામ કરવા અપીલ
- મોહબ્બત ખપે હઝરત ગાભા બાપુ મસ્તાન નો ઉર્શ મુબારક (ગઢડા) સ્વામીના માં કોમી એકતાના પ્રત્યેક યોજાશે